Abtak Media Google News
શ્ર્વાસ લેવામાં તકલીફ થતા અસરગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા: શાળા – બાલ મંદિર બંધ કરાયા

અબતક, રાજકોટ

Advertisement

નવસારીના પોંસરી ગામે આજે સવારે પાણી પુરવઠા વિભાગની પાણીની ટાંકામાંથી કલોરિન ગેસ લીકેજ થતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી. પ0 લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તાત્કાલીક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.આજે સવારે નવસારીના પોંસરી ગામે પાણી પુરવઠા વિભાગની પાણીની ટાંકીનો કલોરિન ગેસ લીકેજ થવાના કારણે ગેસ આસપાસના વિસ્તારોમાં ફેલાઇ ગયો હતો. 50 થી વધુ લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેઓને તાત્કાલીક અસરથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કલોરિન પ્લાન બંધ કરી દેવાયો હતો. અને આસપાસના વિસ્તારોમાં શાળા તથા બાળ મંદિર બંધ કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.