Abtak Media Google News

મચ્છરોની ઉત્પતિ સબબ 395 લોકોને ફટકારાઇ નોટિસ

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ અને તાવના 309 કેસ નોંધાયા છે. મચ્છરની ઉત્પતિ સબબ 395 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.

છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 151 કેસ, સામાન્ય તાવના 67 કેસ અને ઝાડા-ઉલ્ટીના 91 કેસ નોંધાયા છે.

બિન રહેણાંક હોય તેવી 230 મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મચ્છરોની ઉત્પતિ જણાતા 395 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.