Abtak Media Google News

રાજય સરકારે સુખડી માટે ગ્રાન્ટ ફાળવતા બાળકોની થાળીમાંથી ગળપણ ગાયબ

મધ્યાહન ભોજન યોજનામા બપોરા કરતા માસુમ ભૂલકાઓની થાળીમાંથી ગળપણ ગાયબ થઈ ગયું છે.

રાજય સરકાર દ્વારા સુખડી ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા બાળકોને સુખડી પિરસવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અનેક તાલુકાઓમાં તુવેરદાળનો જથ્થો પણ ઉપલબ્ધ નથી.

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા ફાળવવામા આવતી ગ્રાન્ટ હજી સુધી ફાળવવામા આવી નથી જેના કારણે રાજયના મોટાભાગના કેન્દ્રો પર મધ્યાહન ભોજનમાં બાળકોને બપોરના ભોજનમાં સુખડી પિરસવામાં આવતી નથી. ચણાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.જેના કારણે ચણાચાર બનાવવાનું ફરી શરૂ કરાયું છે. અનેક કેન્દ્રો પર તુવેરદાળનો જથ્થો પણ હજી સુધી ઉપલબ્ધ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.