Abtak Media Google News

વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તંત્રે 4-4 લાખ રૂપિયાની સહાય ચૂકવી

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવમૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ આકાશી વીજળીથી બચવા માટે નીચે મુજબના 5ગલાં લેવા યાદીમાં જણાવાયું છે. જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું,

1655700314394

આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા કાર/વાહનમાં રહો, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો,  પાણીમાં હોવ તો બહાર આવી જાવ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. વીજળીપડવાની શકયતા જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વીજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા, મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો, કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું, કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી, દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી, આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

1655700314482

આકાશી વીજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ વીજળીની સલામતી માર્ગદર્શિકા એ 30-30નો નિયમ છે, વીજળી જોયા પછી 30ની ગણતરી શરૂ કરવી, જો તમે 30ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા 30મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો, ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા, ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા, વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું, તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું, શોર્ટસર્કીંટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચો વાપરવી, ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ, ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું, ઈલેકટ્રીક કામ કરતી વખતે વીજળીની અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું, ભયાનક આકાશી વીજળીથતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું, ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું, તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા, ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી, ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.

1655700314649

હાલની ઋતુમાં લોકો દ્વારા ઉપર મુજબના જાગૃતિના પગલાંઓ લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવે તેવું યાદીમાં જણાવાયું છે.જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરની ત્વરિત કામગીરી, વીજળી પડવાથી અવસાન પામેલા મૃતકોના વારસદારોને વ્યક્તિદીઠ 4 લાખની સહાયની ચુકવણી કુલ 20 લાખની સહાય ચૂકવાઈ

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ કટારીયા ગામે વીજળી પડવાથી જીવ ગુમાવનાર 3 વ્યક્તિઓના પરિવારની મુલાકાત લીધી હતી. તા. 17 જૂન, 2022ના રોજ કટારીયા ગામના હરિભાઈ છગનભાઈ બાંધણીયા, અક્ષયભાઈ હરીભાઈ બાંધણીયા, હેતલબેન કલ્પેશભાઈ મેણીયા ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી પડવાથી અવસાન પામ્યા હતા. વીજળી પડવાની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યક્તિઓના પરિવાર પ્રત્યે મંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી હતી તેમ જ રાહત ફંડમાંથી આર્થિક સહાયનું વિતરણ કર્યું હતું.

ગામના વીજળી પડવાથી અવસાન પામેલા 3 મૃતકોના વારસદારોને પ્રતિ વ્યક્તિ રૂ. 4 લાખની સહાય લેખે કુલ રૂ. 12 લાખની સહાય આજે મંત્રીશ્રી  ના હસ્તે ચૂકવવામાં આવી હતી. વીજળી પડવાના કારણે પરિવારજનો ગુમાવનાર પરિવારોને મદદરૂપ થવા સરકારની જોગવાઈ અંતર્ગત વહીવટી તંત્રે રાહત કામગીરીના ભાગરૂપે અવસાન પામેલ વ્યક્તિઓના વારસદારોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના ભાગરૂપે ધ્રાંગધ્રા તાલુકાના મૃતકના વારસદારોને ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયાના હસ્તે ગઈ કાલે રૂ. 4 લાખની સહાય ચૂકવવામાં આવી જ્યારે. જિલ્લામાં કુલ 5 પરિવારોને 20 લાખની સહાય આપવામાં આવી છે.  કુદરતી આપત્તિઓ જેવી કે ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, વાદળ ફાટવું, દુકાળ, ભૂકંપ, સુનામી, આગ તેમજ કમોસમી વરસાદ, આકાશીય વીજળીથી થતાં નુકશાન તેમજ માનવ મૃત્યુના કેસમાં સરકાર મૃત્યુ પામેલ વ્યક્તિ દીઠ રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાની જોગવાઈ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રએ ત્વરિત કામગીરી દાખવી આકાશીય વીજળી પડવાથી મૃત્યુ પામવાના કિસ્સામાં ત્વરિત સહાય ચૂકવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.