Abtak Media Google News

જસદણમાં ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં કોરોનાએ ભયંકર રૂપ દેખાડ્યું હતું ત્યારે જસદણના ડો. ભરતભાઈ બોઘરા અને ડો. પંકજભાઈ કોટડિયાએ એક ખરા અર્થમાં ભગવાનનું રૂપ ધારણ કરી કોરોનાનાં અનેક દર્દીઓને સાજા કરી ઘરે મોકલ્યાં હતાં ત્યારે કાલે શુક્રવારે ડોક્ટર્સ ડેના દિવસ પર આ બન્ને જાંબાઝ ડોક્ટરોને પ્રજામાંથી સલામ ઉઠી રહી છે, પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં બહોળી સંખ્યામાં જસદણ અને વીંછિયા પંથકના લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

આવા કપરા સમયમાં આ બંને એ જસદણના એક વિશાળ કારખાનામાં કોવીડ કેર સેન્ટર વિનામૂલ્ય તાત્કાલિક અસરથી ઊભું કરી દેતાં આ કોવીડ કેર સેન્ટરમાં હજ્જારો દર્દીઓને સમયસર સારવાર મળી ગઇ હતી. આ સમય એવો હતો કે પૈસા ખર્ચતા પણ હોસ્પિટલમાં જગ્યા નહોતી આવા સમયે કોવિડ કેર સેન્ટર વિનામુલ્યે ઊભું કરી જેમાં દર્દીઓને જરૂરી સારવાર આ ઉપરાંત દર્દીઓને ગરમા ગરમ જમવાનું અને ખાસ કરીને દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવે તે હેતુથી એક સ્વયંસેવકોની ટીમ ઊભી કરી દર્દીઓની સવિષેશ કાળજી લીધી હતી.

જેના કારણે મોટી સંખ્યામાં મુત્યુ આંક ઓછો થયો હતો, જો કે ત્યારબાદ એક બીજું કોવીડ કેર સેન્ટર પણ જસદણ વીંછિયામાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ખોલ્યું હતું, જેથી કોરોના કાળમાં જસદણ વીંછિયા પંથકમાં લોકોને રાહત મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.