માણાવદર તાલુકામાં છેલ્લા 15 દિવસ થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે માણાવદર તાલુકાના નાંદરખા ગામે આભ ફાટ્યું હોય તેમ ત્રણ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હતા. ભારે વરસાદના પગલે નાંદરખા કતકપરા રોડની સાઈડ તેમજ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોના ધોવાણ થયા હતા ખાસ કરીને દલિતવાસમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જેને કારણે અહીં વસવાટ કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નાંદરખા ગામના ઉપસરપંચ પ્રવીણભાઈ મોહનભાઈ વાસજાળીયા નું બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને કારણે ધરાશાયી થયું હતું તેમજ નાંદરખા ગામના ખેડૂત સવજીભાઈ કચરાભાઈનું પણ બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને લીધે ધરાશાયી થયું હતું. ચંદુભાઈ વડુકીયા અને મનસુખભાઈ વડુકીયા ના ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો હતો તેમજ ડેમનો પારો ઓવરફ્લો થઈ અશોકભાઈ જીવનભાઈ નું ખેતર તેમજ તેની બાજુમાં ભોવનભાઈ ગોવિંદભાઈ જાવિયાના ખેતરમાં પણ પાણી ફરી વળેલ છે અને ખેડૂતોનો ઉભો મોલ ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે તેમ નાંદરખા ગામના સરપંચ કે.ડી લાડાણીએ જણાવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત