Abtak Media Google News

સ્વાઇન ફલૂના દર્દીઓમાં ઘટાડો થઇ રહ્યો છે.સિવિલ હોસ્પિટલમાં આજે પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં ૬ દર્દીઓ દાખલ છે. જયારે ખાનગી હોસ્પિટલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૯ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

Advertisement

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાના જણાવ્યા મુજબ આજે કુલ નવ દર્દીઓ છે તેમાંથી ૬ના રિપોર્ટ પોઝિટીવ છે અને ૩ના રિપોર્ટ આવવાના બાકી છે. જે દાખલ છે તેમાં રાજકોટ શહેરના ૩, ગ્રામ્યના ૨, મોરબી, ગીર સોમનાથના ૧-૧ અને અમરેલીના ૨ દર્દી સામેલ છે. કલેકટર તંત્રના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં એટલે કે જાન્યુઆરી ૧-૧-૧૭ થી ૩૦-૯-૧૭ સુધીમાં કુલ ૧૪૧ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૪૧૩ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.