દર વર્ષે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ ’વિશ્વ સ્તનપાન સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્તનપાન એ પ્રભુએ સ્ત્રીને આપેલી એક અમુલ્ય ભેટ છે. સ્વસ્થ સ્તનપાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા અલગ અલગ જગ્યાએ જેવીકે મહેસાણા જિલ્લાના ખેરવા ગામે તેમજ નૂતન નર્સિંગ કોલેજ વિસનગર ખાતે તારીખ 4 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાટક પ્રદર્શિત અને ક્વિઝ કરીને ગામના લોકોને અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્વસ્થ સ્તનપાન પ્રત્યે માહિતી આપી અને જાગૃત કર્યા હતા.કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલ તથા રજીસ્ટરાર પી.કે. પાંડે નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડો. સિવા સુબ્રમણિયન અને ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ નર્સિંગ ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવી હતી.
Trending
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા
- મતદાનને લઈને તંત્ર સજ્જ: કાલે વોટિંગ પાવર બતાવવા મતદારોને હાંકલ
- પંચાયત 3ના મેકર્સે કર્યું અનોખી રીતે પ્રમોશન, વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત