Abtak Media Google News

વન-ડે દાંડિયારાસનું નાના મૌવા સર્કલ, આર. કે. પ્રાઇમની સામેના ન્યુ રીયલ ગ્રુપના ગ્રાઉન્ડમાં જાજરમાન આયોજન

સમસ્ત વાળંદ સમાજ અને ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિ  દ્વારા  રવિવારે મા લીમ્બચ શરદોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ વન-ડે દાંડિયારાસના કાર્યક્રમમાં વાળંદ સમાજના ભાઈઓ-બહેનોને ઉમટી પડવા આમંત્રણ પાઠવાયું છે. નાના મવા સર્કલ, આર. કે. પ્રાઇમની સામેના ન્યુ રીયલ ગ્રુપના ગ્રાઉન્ડમાં આ જાજરમાન આયોજન કરાયું છે.

ક્ષૌરકર્મ ધંધાદારી સમિતિના પ્રમુખ અરવિંદભાઈ સોલંકી,  ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ, ખજાનચી ગીરધરભાઈ બગથરીયા, મંત્રી ભરતભાઇ ધોળકીયાની યાદીમાં જણાવ્યું છે કે, તા.9-10-2022 ને રવિવારે સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન નાના મવા સર્કલ, આર.કે. પ્રાઇમની સામેના ન્યુ રીયલ ગ્રુપના ગ્રાઉન્ડમાં આયોજીત શરદોત્સવમાં આશરે પાંચ હજારથી વધુ ખેલૈયાઓ આનંદ લે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ આયોજન ફકત વાળંદ સમાજના ભાઇઓ તથા બહેનો માટે જ કરાયું છે. દરેક વ્યકિતને આધારકાર્ડ સાથે જ પ્રવેશ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.