Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય પર્વ 1પમી ઓગષ્ટ ઉજવણીના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ ની રાષ્ટ્ર ભાવના સભર ઉજવણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની પ્રાણનાથજી પ્રાથમિક શાળા નઁ. 85, મવડી ચોકડી પાસેની શાળાના બાળકોને ‘હર ઘર તિરંગા’ ની કલાકૃતિ અનોખી ગોઠવણમાં છાત્રોને જોડીને નિર્માણ કરાઇ હતી. આ સુંદર કાર્યક્રમમાં આચાર્ય અને શાળા સ્ટાફે છાત્રોમાં દેશભાવના પ્રસરાવી હતી.

આ કૃતિ રજૂ કરી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સ્ટાફે પૂરેપૂરો સહયોગથી કામગીરી થઈ હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગરૂપે શિક્ષણ સમિતીના છાત્રો દ્વારા હર ઘર તિરંગા કલાકૃતિ તૈયાર કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છાત્રોને જોડીને આ કાર્યક્રમનું દેશભક્તિભાવ પૂર્વક અનોખું આયોજન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.