Abtak Media Google News

વિઘ્નહર્તાને આવકારવાની તૈયારીઓ સમગ્ર ગુજરાતમાં તડામાર ચાલી રહી છે. ત્યારે વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષ ગ્રાઉન્ડ ન મળતા જીતુભાઈ સોમાણીએ ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું. ત્યારે આજ રોજ વાંકાનેરમાં ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે ચાલી રહેલ ઉપવાસ આંદોલનના અનુસંધાને આવતીકાલે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આજે સવારે ૧૦ વાગ્યે માર્કેટ ચોક વાકાનેર ચેમ્બર ઓફ કોમર્સ,સંતો મહંતો,આર એસ એસ,વિહિપ, વેપારી એશોશિએશન, સામાજીક ધાર્મિક સંસ્થાઓ અને આગેવાન જીતુ સોમાણી દ્વારા બંધ પાળી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

વાકાનેરનાં કોંગ્રેસ ધારાસભ્ય જાવેદ પીરઝાદા, જીતુ સોમાણી અને અન્ય સામજિક સંસ્થાઓ બંધ પાળી મામલતદારને રજૂઆત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.