Abtak Media Google News

યુવાનના ફોન ન ઉપાડતા પ્રેમીએ પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું નર્સ તરીકે રાજકોટમાં ફરજ બજાવતી યુવતી પર પરિવારજનોનો આક્ષેપ

શાપરમાં ભિમનગર વિસ્તારમાં રહેતા અને બજાજ ફાઇનાન્સમાં રિકવરીનું કામ કરતા યુવાને પોતાની ઓફિસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનુ પોલીસ ચોપડે નોંધાયું છે. મૃતક યુવાનની સગાઈ થયા બાદ નારાજ પ્રેમિકાના ત્રાસથી કંટાળી પ્રેમી યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં ભીમનગર – 3માં રહેતા અને બજાજ ફાઇનાન્સમાં રિકવારીનું કામકાજ કરતા ચિરાગભાઈ અશોકભાઈ સિંધવ નામના 22 વર્ષના યુવાને પોતાની જ ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઘટનાની જાણ શાપર પોલીસ મથકમાં થતા સ્ટફે તુરંત પંચનામુ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ચિરાગ સિંધવની બે માસ પહેલા સગાઈ થઈ હતી. પરંતુ તેના મોત બાદ પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા તેમાં મૂળ જૂનાગઢની યુવતી અને હાલ રાજકોટમાં એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને મૃતકે ફોન અને વોઇસ મેસેજમાં કહ્યું હતું કે મારી સાથે વાત કર નહિતર જીવ દઈ દઈશ. જેથી પરિવારજનોએ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીના ત્રાસના કારણે ચિરાગે આપઘાત કર્યાની આક્ષેપ કરવામાં આવીરહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.