Abtak Media Google News

સજા હળવી કરવા તેમજ સજાના અમલ પહેલાં આરોપીને બચાવની એક તક આપવાનો સુપ્રીમનો મત

સજા-એ-મોતનું જ્યારે ફરમાન આપવામાં આવે ત્યારે ચોક્કસ દેશભરમાં ચર્ચાનું મોજું ફરી વળતું હોય છે. તેવા સમયમાં ખરેખર નીચલી અદાલત દ્વારા ફટકરાયેલી મોતની સજા યોગ્ય છે કે પછી દોષિતને તેની જાતને રજૂ કરવા માટે વધુ એક તક આપવાની જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કહ્યું છે કે, હવે આ અંગે બંધારણીય બેન્ચનું ગઠન કરવામાં આવશે અને આ બેન્ચ જ સજા-એ-મોત અંગે વિચારણા કરશે.

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસના આરોપીઓને મોતની સજા થઈ શકી નહીં તે એક મોટું ઉદાહરણ છે કે, મોતની સજાએ સૌથી આકરી અને અંતિમ સજા છે. આ સજા ફટકાર્યા બાદ ચુકાદો પલટાવી શકાતો નથી તેથી મોતની સજા ફટકાર્યા પૂર્વે અનેકવિધ રીતે વિચારણા કરવાની જરૂરિયાત છે.

દેશભરમાં મૃત્યુદંડના કેસમાં નીચલી કોર્ટને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે. ચીફ જસ્ટીસ યુ યુ લલિતનાં વડપણ હેઠળની 3 જજની બેન્ચે આ મામલો હવે 5 જજની બંધારણીય બેન્ચને મોકલી આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે અમને એવું લાગે છે કે આવા કેસમાં આરોપીની સજા ઓછી કરવા માટેનાં કારણો તેમજ સમય સંજોગોને ધ્યાનમાં લેવા જોઈએ અને તમામ કોર્ટો માટે આ અંગે સમાન નિયમો લાગુ પાડવા જોઈએ. કોર્ટને એમ લાગે કે જે તે કેસમાં મોતની સજા જરૂરી નથી તો તે જ દિવસે આરોપીને આજીવન કેદની સજા કરી શકાય. સજા હળવી કરવા તેમજ સજાનાં અમલ પહેલાં આરોપીને બચવાની એક તક આપવી જોઈએ. સીજેઆઈ યુ યુ લલિત તેમજ જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલ્યાની બેન્ચે આ મામલે સુઓ મોટો કેસ ધ્યાને લીધો હતો અને મોતની સજાને હળવી કરવાની પરિસ્થિતિઓ અંગે ગાઈડલાઈન્સ પર ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ ફાંસીની સજા પર વિચાર કરી રહી છે. આ માટે, સુપ્રીમ કોર્ટે સોમવારે પાંચ જજની બંધારણીય બેંચને માર્ગદર્શિકા ઘડવા અંગે સુઓ મોટુ સંજ્ઞાન માંગતી અરજી મોકલી હતી. કોર્ટે કહ્યું કે ક્યા સંજોગોમાં અને ક્યારે મૃત્યુદંડની સજા પર વિચાર કરી શકાય. હવે 5 જજોની બેંચ આ મામલે નિર્ણય કરશે.

જસ્ટિસ યુ યુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે ફાંસીની સજાની પ્રક્રિયાની તપાસ કરવા માટે માર્ગદર્શિકા નક્કી કરવાનો નિર્ણય કર્યો. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે તે અભિપ્રાય છે કે આ બાબતની સ્પષ્ટતા અને સમાન અભિગમ માટે મોટી બેંચ દ્વારા સુનાવણી કરવાની જરૂર છે, જ્યારે આરોપીને મહત્તમ સજા તરીકે મૃત્યુદંડનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિને હળવી કરવાના સંજોગોના સંદર્ભમાં.

ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે 17 ઓગસ્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ મામલે આદેશ માટે આ મામલો ચીફ જસ્ટીસ સમક્ષ મૂકવો જોઈએ. તેમણે કહ્યું હતું કે મૃત્યુદંડ ઉલટાવી શકાય તેવું છે અને આરોપીને સજામાં ફેરફાર કરવાની પૂરતી તક આપવી જોઈએ જેથી કરીને કોર્ટ નિષ્કર્ષ પર આવી શકે કે મૃત્યુદંડ યોગ્ય નથી.

સર્વોચ્ચ અદાલતે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી અને અવલોકન કર્યું હતું કે મૃત્યુદંડની સજા ધરાવતા ગુનાઓની સજા ઘટાડવાના સંજોગોને ટ્રાયલ સ્ટેજ પર જ ધ્યાનમાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે.

ટ્રાયલ વખતે જ પરિસ્થિતિને લગતા પુરાવા ધ્યાને લેવા જોઈએ: સર્વોચ્ચ અદાલત

કોર્ટે એ અંગે દિશાનિર્દેશો આપવાના હતા કે નીચલી કોર્ટમાં સુનાવણી વખતે કઈ પરિસ્થિતિમાં અને ક્યારે મોતની સજા ઓછી કરવા વિચારી શકાય? સીજેઆઈ યુ યુ લલિતની બેન્ચે 17 ઓગસ્ટે આ મુદ્દે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેમણે આ વખતે કહ્યું હતું કે, મૃત્યુદંડ એક એવી સજા છે કે જેમાં દોષિત કે આરોપી મૃત્યુ પામે તો તેનાં મૃત્યુ પછી ચુકાદાને કોઈપણ હાલતમાં બદલી શકાતો નથી. આથી આરોપીને તેનાં ગુનાની ગંભીરતા ઓછી છે તેવું સાબિત કરવા એક તક આપવી જોઈએ. જેથી કોર્ટને પણ એવું લાગે કે જે તે કેસમાં તેને મૃત્યુ દંડની સજા કરવાનું જરૂરી નથી. આથી મોતની સજાનાં કેસમાં ટ્રાયલ વખતે જ પરિસ્થિતિને લગતા તેમજ સમય અને સંજોગોને લગતા પુરાવાને સામેલ કરીને ધ્યાનમાં લેવા જોઈએ. નીચલી કોર્ટોએ ખાસ કરીને આ જોગવાઈઓને ધ્યાનમાં લેવી જોઈએ અને પછી જ આરોપીને મોતની સજા ફટકારવી જોઈએ.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ફક્ત 8 માસમાં 50ને મૃત્યુદંડ!!

ગુજરાતમાં આ વર્ષે આઠ મહિનામાં 11 કેસમાં 50 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જે 1960 માં ગુજરાત રાજ્યની રચના પછી ઐતિહાસિક ઘટના છે. કોર્ટના દસ્તાવેજ મુજબ કુલ 50 મોતની સજામાં 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષીતોને ફટકરાયેલી ફાંસીની સજા મુખ્ય છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસ દરમિયાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષીતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અન્ય ફાંસીની સજાઓ મુખ્યત્વે હત્યા અને દુષ્કર્મના ગુનામાં ફટકારવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે મૃત્યુદંડની સજાનો આંકડો રાજ્યની અદાલતો દ્વારા અગાઉના 15 વર્ષોમાં આપવામાં આવેલી કુલ સંખ્યાની બરાબર છે. 2022 પહેલા વર્ષ 2011માં આ સજાની સૌથી વધુ સંખ્યા 13 હતી, જ્યારે 2002 ના ગોધરા ટ્રેન કાંડ કેસના મોટાભાગના દોષિતોને ફાંસીની સજા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.