Abtak Media Google News

પતિએ ચોટીલા જવા માટે રાહ જોવાનુ કહેતા પત્નીએ ઝેર પી કર્યો આપઘાત

અબતક રાજકોટ

Advertisement

પડધરી તાલુકાના ખંભાળા ગામે ખેત મજૂરી કરતા પરિવારના દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખંભાળા ગામમાં પરષોત્તમ દેવજીભાઈ ભોજાણીની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા કમાબેન મુકેશભાઈ ડામોર નામના 24 વર્ષીય પરિણીતાએ વાડીએ ઝેર ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ કમાબેનએ દમ તોડયો હતો.

આ અંગે ઘટનાની જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથધરી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કમાબેન અને તેમના પતિ મુકેશ વચ્ચે ચોટીલા જવા બાબતે માથાકુટ થતા પરિણીતાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.