Abtak Media Google News

 

ખંભાળીયાના દેવભૂમિ હોસ્પિટલ વાળા ડો. પી.વી. કંડોરીયા માલતીબેન કંડોરીયા તથા શીવ સમાન ભાડથર દ્વારા તા. 8/9/10 ડીસેમ્બરના રોજ ભાડથર ગામે એકલાખ એકાવન હજા પાર્થિવેશ્ર્વર શીવ મહાપૂજન તથા દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ છે જેનો લાભ લેવા લોકોને જણાવાયું છે.તા.8ના મંડપ મુહુર્ત તથા આસન નિર્માણ થશે તા.9 ના પાર્થિવેશ્ર્વર નિર્માણ થશે તથા. તા.10 ના પાર્થિવેશ્ર્વર મહાપૂજા તથા અભિષેક થશે તથા તા. 11 ના પાર્થિવેશ્ર્વર ની વિસર્જન યાત્રા તાડથરથી દ્વારકા જશે.તા. 9 ના રોજ રાત્રે શીવજીની ઝાંખી યોજાશે જેમાં ખીમાભાઇ ગોમીયા તથા  કેશરીયા જોડાશે.

ભાડથરના શીવ ભકત ધીરુભાઇ તન્નાની આગેવાનીમાં સમસ્ત ભાડથર ગામ તથા શીવ સમાજ આ કાર્યક્રમમાં જોડાશે તથા પુજનમાં દરેક વ્યકિતને બેઇવાની છુટ છે જેમણે મો.નં. 94275 73483 પર સંપર્ક કરવો. આ પાર્થિવેશ્ર્વર પુજન કાર્યક્રમમાં દ્વારકાના જીવનનાથી બાપુ, મહાકાળી આશ્રમના ધનસુખનાથબાપુ, અવધુત આશ્રમ કેરાલાના સરસ્વતિ ગીરી માતાજી, સુતારીયા કાસન ભગતની જગ્યાના મણી માતાજી, ભારતીબાપુ કેશોદ, વૈદ્યનાથબાપુ જુનાગઢ પધારશે કાર્યક્રમોનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.