Abtak Media Google News

 

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી 231 મો ઉર્ષ મુબારક આગામી તા.15,16 ડીસે.ના રોજ અમરેલીમાં ઉજવાશે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો જાફરી મઝારમાં આવી આંસુની અંજલી અર્પણ કરશે

આજીવન અલ્લાહની બંદગી અને લોકભભાઇ કરનારા જાફરજી સાહેબ દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અમરેલી જેસીંગપરામાં આવેલ મઝાર પર હજારોની સંખ્યામાં આસ્થાળુઓ તેમની તુરબત પર માથુ ટેકવશે તેમની સ્મૃતિમાં સંદલ મજલિસ ન્યાઝ કુરાન પઠન જેવા અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના ભાઇ-બહેનો શ્રઘ્ધાના ફુલો ન્યોછાવાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.