Abtak Media Google News

૨૦૭૦ સુધીમાં ‘શૂન્ય ઉત્સર્જન’ મિશનને પાર પાડવા સરકાર એક્શન મોડમાં

વર્ષ ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારત પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવા માટે જાહેર ક્ષેત્રના ઉપક્રમો સાથે જોડાવા માટે તૈયાર છે તેવું સાયન્સ એન્ડ ટેકનોલોજીના અને અણુ ઊર્જા વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે નાગપુર ખાતે આયોજિત ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

વર્ષ ૨૦૨૦ માં અવકાશ ક્ષેત્રને અનલોક કરવાની તર્જ પર મોદી સરકાર આગામી દિવસોમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં પણ મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જો કે, પરમાણુ બળતણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને તેના સંભવિત દુરુપયોગને ધ્યાનમાં રાખીને સરકાર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની(આઈએઇએ) માર્ગદર્શિકા અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપના સંમેલનોને અનુરૂપ ખૂબ જ સાવચેતીભર્યું માર્ગ અપનાવશે તેવું મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) જે દેશના લગભગ તમામ પરમાણુ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે, તેણે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ ન્યુક્લિયર એનર્જી, નાલ્કો પાવર કંપની લિમિટેડ અને કેટલાક સાથે સંયુક્ત સાહસની રચના કરી છે અથવા તેની રચના કરવાની પ્રક્રિયામાં છે. ન્યુક્લિયર પાવર સેક્ટરના નેટવર્કના વિસ્તરણ માટે અન્ય પીએસયુને પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવા સરકાર તૈયારી કરી રહી છે.

જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકારે પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં રોકાણ વધારવા માટે આગામી ૧૫ થી ૨૦ વર્ષ સુધીની વ્યાપક યોજના તૈયાર કરી છે. પરમાણુ ઉર્જા વિસ્તરણ કાર્યક્રમના અમલીકરણમાં સામેલ મોટી ઇક્વિટી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અન્ય પીએસયુ સાથે એનપીસીઆઈએલના સંયુક્ત સાહસોની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતની વર્તમાન સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતા ૬૭૮૦ મેગાવોટ છે અને તે ૨૦૩૧ સુધીમાં ૧૫,૭૦૦ મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે ૨૧ વધુ અણુ ઉર્જા ઉત્પન્ન કરતા એકમો ઉમેરવાની યોજના ધરાવે છે.

અમે હવે દેશના ઉત્તરીય ભાગોમાં પણ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવી રહ્યા છીએ, સિંહે હરિયાણાના ગોરખપુરમાં પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણને ટાંકીને કહ્યું હતું. ૨૦૨૯ સુધીમાં ગોરખપુર ખાતે ૭૦૦ મેગાવોટના બે એકમો પૂર્ણ થવાની અપેક્ષા છે.

એનપીસીઆઈએલ અને અન્ય પીએસયુ વચ્ચેના સંયુક્ત સાહસોને પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ બનાવવા માટે સક્ષમ કરવા માટે સરકારે ૨૦૧૫માં અણુ ઊર્જા અધિનિયમમાં સુધારો કર્યો હતો.

સિંઘે તાજેતરમાં જણાવ્યું હતું કે ૨૦ પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ બે રિએક્ટર પ્રત્યેક ૭૦૦ મેગાવોટ યુનિટ, આવતા વર્ષે ગુજરાતના કાકરાપારમાં કાર્યરત થવાની ધારણા છે, જ્યાં પહેલાથી જ ત્રણ પરમાણુ પાવર જનરેટીંગ યુનિટ કાર્યરત છે. કલ્પક્કમ ખાતે ૫૦૦ મેગાવોટનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ૨૦૨૪માં કાર્યરત થવાની સંભાવના છે અને રિએક્ટર પણ ૯૭.૬% પૂર્ણ છે. તે પછી ૨૦૨૫ માં તમિલનાડુના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટમાં ૧૦૦૦ મેગાવોટના બે એકમો આવશે. રાજસ્થાનના રાવતભાટા ખાતે ૭૦૦ મેગાવોટના બે એકમો ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જ્યારે કુડનકુલમમાં ૨૦૨૭ સુધીમાં બીજા બે ૧૦૦૦ મેગાવોટ એકમો પૂર્ણ થવાની સંભાવના છે તેવું તેમણે તાજેતરમાં કહ્યું છે.

સરકારે આગામી ૨૦ વર્ષ સુધીની વ્યાપક યોજના તૈયાર કરી લીધી

જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકારે પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં રોકાણ વધારવા માટે આગામી ૧૫ થી ૨૦ વર્ષ સુધીની વ્યાપક યોજના તૈયાર કરી છે. પરમાણુ ઉર્જા વિસ્તરણ કાર્યક્રમના અમલીકરણમાં સામેલ મોટી ઇક્વિટી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અન્ય પીએસયુ સાથે એનપીસીઆઈએલના સંયુક્ત સાહસોની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૨૦૩૧ સુધીમાં ભારતની ઉર્જા ક્ષમતા બમણા કરતા પણ વધી જશે !!

ભારતની વર્તમાન સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતા ૬૭૮૦ મેગાવોટ છે અને તે ૨૦૩૧ સુધીમાં ૧૫,૭૦૦ મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે ૨૧ વધુ અણુ ઉર્જા ઉત્પન્ન કરતા એકમો ઉમેરવાની યોજના ધરાવે છે.અમે હવે દેશના ઉત્તરીય ભાગોમાં પણ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવી રહ્યા છીએ, સિંહે હરિયાણાના ગોરખપુરમાં પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણને ટાંકીને કહ્યું હતું. ૨૦૨૯ સુધીમાં ગોરખપુર ખાતે ૭૦૦ મેગાવોટના બે એકમો પૂર્ણ થવાની અપેક્ષા છે.

ગુજરાતને મળશે વધુ એક ન્યુક્લિયર પ્લાન્ટ !!

સિંઘે તાજેતરમાં જણાવ્યું હતું કે ૨૦ પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ બે રિએક્ટર પ્રત્યેક ૭૦૦ મેગાવોટ યુનિટ, આવતા વર્ષે ગુજરાતના કાકરાપારમાં કાર્યરત થવાની ધારણા છે, જ્યાં પહેલાથી જ ત્રણ પરમાણુ પાવર જનરેટીંગ યુનિટ કાર્યરત છે. કલ્પક્કમ ખાતે ૫૦૦ મેગાવોટનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ૨૦૨૪માં કાર્યરત થવાની સંભાવના છે અને રિએક્ટર પણ ૯૭.૬% પૂર્ણ છે. તે પછી ૨૦૨૫ માં તમિલનાડુના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટમાં ૧૦૦૦ મેગાવોટના બે એકમો આવશે. રાજસ્થાનના રાવતભાટા ખાતે ૭૦૦ મેગાવોટના બે એકમો ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જ્યારે કુડનકુલમમાં ૨૦૨૭ સુધીમાં બીજા બે ૧૦૦૦ મેગાવોટ એકમો પૂર્ણ થવાની સંભાવના છે તેવું તેમણે તાજેતરમાં કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.