Abtak Media Google News

ધો.૧૧ માં અભ્યાસ કરતી છાત્રાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત

રાજકોટમાં આત્મહત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે શહેરના રૈયા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાને તેની માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેનું તેણીને માઠું લાગી આવતા પોતાના ઘરે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં રૈયા રોડ પર ત્રીનેત્રી એપાર્ટમેન્ટમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી કૃતીકાબેન ઘનશ્યામભાઈ સતાપરા નામની ૧૭ વર્ષીય વિદ્યાર્થીની બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે પોતાના રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે યુનિવર્સીટી પોલીસને જાણ થતાં યુનીવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. લાડકવાયી દીકરીના આપઘાતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે. પ્રાથમિક પૂછતાછમાં કૃતીકાબેન ઘનશ્યામભાઈ સતાપરાને તેની માતાએ અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હોય જેનું માઠુ લાગી જતા આ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસ મથકના સ્ટાફે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.