Abtak Media Google News

રાજકોટ શહેરમાં કોઠારીયા સોલવન્ટ સીતારામ સોસાયટી પાસે રહેતી પરિણીતા પોતાના બે બાળકો સાથે ગુમ થઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતા પોતાના પ્રેમી સાથે પલાયન થઈ ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સીતારામ સોસાયટી પાસે આવેલા બિલિપત્ર પાર્કમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ધીરેન્દ્ર કુમાર ભાનુશંકર પ્રસાદે આજીડેમ પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેમની પત્ની ગુડિયા દેવી ધીરેન્દ્ર કુમાર પ્રસાદ રુહી અને રિદ્ધિ કુમારી નામની બે બાળકીઓ સાથે રાશન લેવા માટે ગઈ હતી પરંતુ ત્યાંથી પરત ન ફરતા સગા સબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં પણ ત્રણેયની કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસમાં ગુમનોંધ નોંધાવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ફરિયાદી ની પત્ની ગુડિયા દેવી પોતાના બંને સંતાનોને લઈ પ્રેમી સાથે પલાયન થઈ ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.