Abtak Media Google News

માનસિક બીમાર યુવાનને સારવાર માટે દાખલ કરાયો’તો: પરિવારમાં આક્રંદ

 

મોરબીમાં નવી પીપળી ગામે રહેતા અને ગોકુલ હોસ્પિટલમાં દાખલ થયેલા યુવાને ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. માનસિક બિમારીથી પીડાતા યુવાનના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવી પીપળી ગામે રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ જોડીયા નામના 37 વર્ષીય યુવાને મોરબી ગોકુલ હોસ્પિટલના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સંદીપભાઈ જોડીયા માનસિક રીતે બીમાર હોય અને અગાઉ પણ હોસ્પિટલમાં ઘણી વખત દાખલ કર્યા હતા. જેમાં ગઇ કાલે મોડી રાત્રીના સંદીપભાઈ હોસ્પિટલ હતા ત્યારે તેના ભાઈ માતા ઘરે એકલા હોવાથી ઘરે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રીના સંદીપભાઈએ ચોથા માળેથી ઝંપલાવતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ટૂંકી સારવારમાં જ યુવાને દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક સંદીપભાઈ માનસિક રીતે બીમાર હોવાનુ અને તેના કારણે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.