Abtak Media Google News

ટાવર ઓફ લંડનમાં કોહિનૂર પ્રદર્શિત કરવામાં આવશે મે મહિનામાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે

બ્રિટન વિશ્વના સૌથી પ્રખ્યાત અને કિંમતી ’કોહિનૂર’ હીરાને ’વિજયના સંકેત’ તરીકે બતાવવા જઈ રહ્યું છે. તેને લંડનના ટાવરમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે આ વર્ષે મે મહિનામાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ખરેખર, કિંગ ચાર્લ્સ ત્રીજાને આ વર્ષે મે મહિનામાં બ્રિટનમાં તાજ પહેરાવવામાં આવનાર છે. આ સમય દરમિયાન તેમની પત્ની ક્વીન કોન્સર્ટ કેમિલા કોહિનૂર હીરાજડિત મુગટ નહીં પહેરે. યુકેમાં મહેલોની જાળવણી કરતી ચેરિટી સંસ્થા હિસ્ટોરિક રોયલ પેલેસ્સનું કહેવું છે કે, ન્યૂ જ્વેલ હાઉસ એક્ઝિબિશન કોહિનૂરના ઇતિહાસ વિશે જણાવશે. કોહીનૂર હીરાને બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયની માતાના મુગટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ તાજને ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવશે.

દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતિયની માતા ક્વીન મધરના તાજમાં જડાયેલા આ કોહિનૂરના ઇતિહાસ વિશેની માહિતી શેર કરવામાં આવશે. આ કોહિનૂરના ઇતિહાસ વિશેની માહિતી વિઝ્યુઅલ પ્રોજેક્શન્સ અને ઓબ્જેક્ટ્સ દ્વારા આપવામાં આવશે. કોહિનૂર કેવી રીતે મુગલ સામ્રાજ્ય, ઇરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીર અને શીખ મહારાજાઓના કબજામાંથી બહાર આવ્યો તેનો ઇતિહાસ વહેંચવામાં આવશે.ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત. મહારાજા રણજિત સિંહના આધિપત્ય હેઠળ આ કોહિનૂર રાણી વિક્ટોરિયા સુધી પહોંચ્યો હતો અને આ હીરાએ બ્રિટિશ શાસનની સર્વોપરિતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

લંડનના ટાવરના રેસિડન્ટ ગવર્નર અને જ્વેલ હાઉસના કીપર એન્ડ્રુ જેક્સને જણાવ્યું હતું કે અમે 26 મેથી નવું જ્વેલ હાઉસ ખોલવા જઈ રહ્યા છીએ, જેને લઈને અમે ઉત્સાહિત છીએ. આ સાથે લોકો શાહી આભૂષણો વિશે જાણી શકશે.આવી સ્થિતિમાં, શું તેઓ જાણે છે કે કોહિનૂર હીરાનો ઇતિહાસ શું છે? આ હીરા ભારતથી લંડન કેવી રીતે પહોંચ્યો? અને શું આ હીરા ક્યારેય ભારતમાં આવી શકે છે કે નહીં?

શું છે કોહિનૂરનો ઇતિહાસ ?

કોહિનૂર વિશ્વનો સૌથી પ્રખ્યાત અને કિંમતી હીરા છે. એવું માનવામાં આવે છે કે આ હીરા 14 મી સદીમાં આંધ્રપ્રદેશના ગોલકોન્ડાની એક ખાણમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેનું વજન 793 કેરેટ હતું. ઘણી સદીઓ સુધી તેને વિશ્વનો સૌથી મોટો હીરા માનવામાં આવતો હતો. જો કે સમય જતાં આ હીરાને કાપવાનું ચાલુ જ રહ્યું હતું, જેના કારણે તે નાનો થઇ ગયો હતો. એક અહેવાલ મુજબ 1526માં પાણીપતના યુદ્ધ દરમિયાન ગ્વાલિયરના મહારાજા બિક્રમજીત સિંહે પોતાની તમામ સંપત્તિ આગ્રાના કિલ્લામાં રાખી હતી.

યુદ્ધ જીત્યા બાદ બાબરે કિલ્લો કબજે કર્યો હતો અને કોહિનૂર હીરા પણ તેની પાસે આવ્યો હતો. તે પછી તે 186 કેરેટની હતી.કહેવાય છે કે 1738માં ઈરાનના શાસક નાદિરશાહે મુઘલ સલ્તનત પર હુમલો કર્યો હતો અને આ રીતે આ હીરા તેમની પાસે આવ્યા હતા. આ હીરાને ’કોહિનૂર’ નામ નાદિર શાહે આપ્યું હતું. તેનો અર્થ થાય છે ’પ્રકાશનો પર્વત’. નાદિર શાહ આ હીરાને પોતાની સાથે ઈરાન લઈ ગયા હતા.

નાદિર શાહની 1747માં હત્યા કરવામાં આવી હતી. આ રીતે આ હીરા તેમના પૌત્ર શાહરુખ મિર્ઝા પાસે આવ્યા. શાહરૂખે આ હીરા પોતાના સેનાપતિ અહમદ શાહ અબ્દાલીને આપ્યો હતો.અબ્દાલી તેને અફઘાનિસ્તાન લઈ ગયો. અબ્દાલીના વંશજ શુજા શાહ જ્યારે લાહોર પહોંચ્યા ત્યારે તેમની સાથે કોહિનૂર હીરા પણ હતા. પંજાબના મહારાજા રણજીતસિંહને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે 1813માં શુજા શાહ પાસેથી આ હીરા લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.