Abtak Media Google News

માધવપુર બીચ ખાતે  રેતશિલ્પ મહામહોત્સવનું  ઉદૃ્ઘાટન કરાયું

પોરબંદરના માધવપુર બીચ ખાતે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત રેતશિલ્પ મહા મહોત્સવ-2023 નું  ગુજરાત રાજ્ય નશાબંધી બોર્ડના ચેરમેન ચેતના બેન તિવારીના હસ્તે આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ  ટી.આર. દેસાઈ સહિત લલિત કલાની ટીમ ઉપસ્થિત રહી હતી.

30 જેટલા રેતશિલ્પકારોએ કૃષ્ણ- રુક્મિણીજીના લગ્ન સહિતની થીમ પર  12 શિલ્પ બનાવી રેતી શિલ્પ કલાકારોએ કલાના માધ્યમથી કૃષ્ણ રુક્મિણી જીના લગ્નની રેત પ્રતિકૃતિ બનાવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં કૃષ્ણ રુકમણીજી, વિવાહ મંડપ, મોરપિચ્છ, ગણપતિજી, કળશ અને મટુકી, જી-20 સહિતની થીમ પર શિલ્પ બનાવ્યા છે. પ્રવાસીઓ આ શિલ્પોને પાંચ દિવસ સુધી જોઈ શકશે. શિલ્પોની જાણવણી માટે ટીમ દ્વારા જાણવણી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.