રાજકોટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી મેચ થવા જઈ રહી છે. ગુજરાતના આ શહેરનાં બે લાડકા દીકરા ચેતેશ્વર પુજારા અને રવિંદ્ર જાડેજા ભારતીય ટીમનો ભાગ નથી. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ પુજારાને આજસુધી ક્યારેય ભારત માટે એકપણ ઝ૨૦ મેચ રમવાની તક મળી નથી. જો કે પુજારા ટીમમાં નથી પરંતુ તે સ્ટેડિયમમાં એક ખાસ કામ કરતો જરુર નજરે પડશે.પુજારાને ગુજરાત ચૂંટણી પંચે આગામી વિધાનસભા ચૂંટણી માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પુજારા પર જવાબદારી છે કે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરે. આવામાં ચેતેશ્વર સ્ટેડિયમમાં હાજર રહીને પોતાની ટીમને ચીયર પણ કરશે અને એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવશે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન