Abtak Media Google News

બુલેટ અને બાઇક સાથે યુવાનો જોડાયા: હજ્જારો પાટીદાર પરિવારો કર્ણાવતી પાર્ટી પ્લોટમાં આજે રાત્રે મહાઆરતી અને ડાયરાની રંગત માણશે

કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે ર3 મે ને મંગળવારના રોજ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શોભાયાત્રાનું વહેલી સવારે રાજકોટના પશુપતિનાથના મંદિરથી ઉમિયા માતાજી મંદિર સિદસરન! પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, સહીતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. ભજન-કિર્તનની રમઝટ સાથે મા ઉમાના જય ઘોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીની 18 કી.મી. લાંબી મા ઉમિયાના રથ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભવ્ય શોભાયાત્રા બાદ પાટીદાર પરિવારો આજે રાત્રે કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે મહાઆરતી, અને હાસ્ય કલાકાર હીતેશ અંટાળા સહીતના કલાકારોનો લોક ડાયરાની રંગત માણશે.

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતી નિમિતે રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્રારા ઉમિયા માતાજીના રથ સાથેની જાજરમાન શોભાયાત્રા તા.23 ને મંગળવારના સવારે શ્રી કોલોની ખાતે આવેલા પશુપતિનાથના મંદિરથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, કાંતીભાઇ માકડીયા નાથાભાઇ કાલરીયા, દિનેશભાઇ અમૃતીયા, અરવિંદભાઇ કોરડીયા, મગનભાઇ કનેરીયા સહીતના શ્રેષ્ઠીઓ તથા સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા. વહેલી સવારથી જ સાફામાં સજ્જ યુવાનો બુલેટ, બાઇક અને મહીલાઓ એકટીવા સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ઉમા જયંતીની શોભાયાત્રા સવારે પશુપતીનાથના મંદિરથી પ્રારંભ થઇ, લક્ષ્મીનગર, આનંદબંગલા ચોક, સ્વામી નારાયણ ચોક, ગુરૂપ્રસાદ, ગોકુલધામ, દ્રારકાધીશ, જલજીત, ઉમિયાજી ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ, નાનામૌવા સર્કલ, કે.કે.વી. ચોક, ઇન્દીરા સર્કલ, કોહીનુર એપા., રવિરત્ન પાર્ક, પટેલ ક્ધયા છાત્રાલય, ધોળકીયા સ્કુલ, સાધુ વાસાવણી રોડ, જનકપુરી મંદિર, યોગેશ્વર પાર્ક, આલાપ એવન્યુ, ચીત્રકુટ મહાદેવ, રાણી ટાવર, વૃંદાવન સોસાયટી, સયાજી હોટેલ, મોકાજી સર્કલ, આલાપ ટવીન ટાવર, અલય પાર્ક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, શ્યામલ સ્કાય લાઇફ, શ્યામેશ્વર મહાદેવ મંદિર થઇ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે આરતી સાથે સમાપન કરાયુ હતુ. આ સમગ્ર શોભાયાત્રા દરમ્યાન વિવિધ સ્થાનોએ ર1 જેટલા સ્વાગત તેમજ દર્શન પોઇન્ટ રાખવામાં આવ્યા હતા. જયાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રા દરમ્યાન ઠેર-ઠેર ચા-પાણી, શરબત, રસ, છાશનું ઘોરવું, લસ્સી પ્રસાદી રૂપે આપવામાં આવ્યુ હતુ.

જગત જનની મા ઉમિયાની ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત વિશાળ જન મેદની એ જય ઘોષ સાથે ફુલડે વધાવી કર્યુ હતુ. મા ઉમિયાના રથના સ્વાગતમાં ઠેર-ઠેર રંગોળીઓ દ્રારા સુશોભન કરાયુ હતુ. શોભાયાત્રા દરમ્યાન ઇન્દીરા સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા મા ઉમિયાનું સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો સહીતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સ્વામી નારાયણ ચોકમાં વિશાળ જનમદનીએ હર્ષો ઉલ્લાસથી મા ને વધાવ્યા હતા. તેમજ સ્થાનીક પાટીદારો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતુ. ગોકુલધામમાં સ્થાનીક અગ્રણીઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતુ, 150 ફુટ રીંગ રોડ પર અરવિંદભાઇ કોરડીયા, વિવિધ સંસ્થાઓ ઉમિયા સંગઠન સમિતિના કાન્તીભાઇ ઘેટીયા, ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટના અશોકભાઇ દલસાણીયા, મહિલા સંગઠનના જયોતીબેન ટીલવા સહીતના પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સ્વાગત કર્યુ હતુ. દાઉદી વોરા સમાજ દ્રારા શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતુ તેમજ ઉમિયા પદયાત્રીક પરિવારના પ્રમુખ વિનુભાઇ મણવરનું શાલ જોગી ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

મવડી ચોકડી ખાતે મા ઉમિયાના જય જયકાર સાથે પાટીદારોએ શોભાયાત્રાનું હર્ષોલ્લાસથી શાનદાર સ્વાગત કર્યુ હતું તેમજ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. રવિરત્ન પાર્કમાં મા ઉમિયાના રથનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરાયુ હતુ. પાટીદાર ભાઇઓ તથા બહેનો દ્રારા ઉમળકાભેર શોભાયાત્રાનું રંગેચંગે સ્વાગત કરાયુ હતુ. યોગેશ્વર પાર્કમાં નંદ ગ્રુપ દ્વારા 151 કિલો પ્રસાદી તથા 151 કિલો લસ્સી પ્રસાદી રૂપે વિતરણ કરાયુ હતુ. તથા શોભાયાત્રાનું આતશબાજી અને પુષ્પવૃષ્ટિી દ્વારા સ્વાગત માટે નંદગ્રુપના પીયુષ સીતાપરા સહીતના 51 યુવાનોની ટીમ તથા 51 કળશધારી બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ચિત્રકુટ મહાદેવ મંદિરે ચિત્રકુટ મિત્ર મંડળના મનીષભાઇ ડેડકીયા, ઉદય પારસીયા, ગીરીશભાઇ બેરા દ્વારા મા નું સ્વાગત કરાયુ હતુ.

ઉમિયા પદયાત્રીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજીત આ શોભાયાત્રામાં વિવિધ ફલોટસ જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યોગ, ભારતીય સંસ્કૃતી, પર્યાવરણ, બેટી બચાવો, ધાર્મિક પ્રસંગો જેવા વિષયો આધારીત સામાજીક સંદેશો આપતા સુશોભીત 10 જેટલા ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજકોટના મવડી ચોકડી, સ્વામીનારાયણ ચોક, ગોકુલધામ, ઉમિયા ચોક, રવિરત્નપાર્ક, અજંતાપાર્ક, યોગેશ્વરપાર્ક, ચીત્રકુટધામ સોસાયટી તથા અંબીકા ટાઉનશીપમાં શોભાયાત્રા દરમ્યાન હૈયે હૈયુ દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. ઉમા જયંતી નિમિતે પાટીદાર પરિવારો આજે રાત્રે કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે યોજાનારા લોક ડાયરામાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળાના હાસ્ય દરબારની રંગત માણશે. આ કાર્યક્રમ દરમ્યાન ઉમિયા પદયાત્રીક પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા હિમોગ્લોબીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઇ કનેરીયા, રાજેશભાઇ ત્રાંબડીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ બરોચિયા, મંત્રી પિનલભાઇ ટીલવા સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસર, ઉમિયા પરિવાર સંગઠન સમીતી-રાજકોટ, ઉમા યુવા શકિત મહીલા મોરચો, ઉમિયા સોશ્યલ ગ્રુપ, કલબ યુવી, ઉમા યુવા ફાઉન્ડેશન તથા સમસ્ત કડવા પાટીદાર સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમ મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલે જણાવ્યુ છે.

હંમેશા એક રહેવાની પરંપરા છે રાજકોટની : કમલેશભાઈ મીરાણી

‘અબતક’સાથેની વાતચીતમાં રાજકોટ ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, દરેક સમાજને પોતાના દેવી – દેવતાઓ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા હોય છે. રાજકીય કાર્યક્રમો તો હોય જ છે એ જ રીતે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ એક રહેવાની પરંપરા રાજકોટની છે,ત્યારે એ આજે ઉમિયા જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે જેનું સ્વાગત કરવા ઇન્દિરા સર્કલ ખાતે ધારાસભ્ય, સંસદ સભ્ય, મેયર અને 250 થી પણ વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે.

ભાજપ દ્વારા ર્માં ઉમિયા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ઉમિયા માતાજીની જન્મજયંતી અંતર્ગત નીકળેલ શોાભયાત્રાનું શહેર ભાજપ દ્વારા શહેરના ઇન્દીરા સર્કલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડે.  મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, તેમજ કિરણબેન માકડીયા, કીશન ટીલવા, લલીત વાડોલીયા, ભારત શીંગાળા, પ્રફુલ કાથરોટિયા, મહેશ રાઠોડ, વિક્રમ પૂજરા, 2ઘુભાઈ ધોળકીયા, અનીલભાઈપારેખ,હરેશ જોષી સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.