Abtak Media Google News

રાજયના 500થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિ: હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ સહિતના મુદે ચર્ચા

રાજયના ખેડા જિલ્લાના  વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે  આજે બપોરે  3 કલાકે   અખિલ ભારતીય   સંત સમિતિ ગુજરાત  પ્રદેશની કાર્યકારણીની એક બેઠક મળશે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના  અધ્યક્ષ  સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે.

અખિલ ભારતીય   સંત સમિતિની  ગુજરાત પ્રદેશની  કાર્યકારણી  દર વર્ષ  રાજયના અલગ અલગ   યાત્રાધામો ખાતે મળતી હોય છે. જેમાં વિવિધ મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવે છે. આજે બપોરે 3 કલાકે   વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે  મળનારી સંત સમિતિની  કાર્યકારણીમાં રાજયના 500થી વધુ  સંતો ઉપસ્થિત રહેશે. જેમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને સતત વધી રહેલા લવ જેહાદના કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં  ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે  સંત સમિતિની બેઠકમાં સાધુ સંતો જ હાજરી આપતા હોય છે. પરંતુ  પ્રદેશ ભાજપ  અધ્યક્ષને  આમંત્રણ પાઠવવામાં આવતા તેઓને  આમંત્રણનો  સ્વીકાર  કર્યો હતો.

દરમિયાન   આજે સવારે  ભાજપના અધ્યક્ષ   સી.આર.પાટીલે  નર્મદા જિલ્લાના નાંદોદમાં ધારીખેડા ખાતે નર્મદા સગરના   ભૂમી પૂજન તથશ ઓર્ગેનિક  પોટાશ ખાતર પોજેકટના લોકાર્પણ  કાર્યક્રમમાં હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.