Abtak Media Google News

સંજય લીલા ભાનસલીની ફિલ્મ પદ્માવતી પર વિવાદ વચ્ચે એક સારા સમાચાર છે આજે તેનું બીજુ ગીત રીલિઝ થશે તેની માહિતી શાહીદ કપૂરે ટ્વિટ કરીને આપી છે.

Advertisement

હજુ સુધી દીપિકાનું પ્રથમ ગીત ઘૂમરનો ક્રેઝ સમાપ્ત થયો નથી. ત્યાં આજે ફૅન્સ માટે બીજુ ગીત લઈ ને આવશે પદ્માવતી. જોકે ગીત જોઈને લાગે છે કે તે એક રોમેન્ટિક ગીત છે. આ ગીતમાં દીપિકા અને શાહિદ કપૂર જોવા મળશે. પદ્માવતિમાં દીપિકા રાની પદમિનીના રોલમાં છે અને શાહિદ તેમના પતી રાજા રતન સિંહના પાત્રમાં છે.

આજે જ ફિલ્મ મેકર્સે શાહિદ કપૂરનું નવું પોસ્ટર રજૂ કર્યું છે. જેમાં તેમનો રોયલ અંદાજ જોવા મળ્યો છે. તે એક યોદ્ધાની જેમ બેઠલા જોવા મળે  છે. ફેન્સને શાહિદનું આ શાહી લુક ખૂબજ પસંદ આવી રહયું છે. તસ્વીરમાં તેમના રાજપૂતા લુકની જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.