Abtak Media Google News

શું સંજય લીલાની ફિલ્મ ‘પદ્માવત’ ‘જોહર’ના તેવર લેશે ? કેમ કે કરણી સેના હૈ કી માનતી હી નહીં. સેંસર બોર્ડે ફિલ્મ પાસ કરી દીધી. ફિલ્મને યુ/એ સર્ટિ આપી દીધું. નિર્માતાને ફિલ્મનું નામ બદલવા કહ્યું તો તેણે પણ ‘પદ્માવતી’માંથી અંગ્રેજીનો ‘આઈ’ દૂર કરીને ‘પદ્માવત’ કરી નાખ્યું. છતાં કરણી સેના ફિલ્મને કહી રીલીઝ ન કરવા દેવાની માંગ કરે છે. આ તેમની જીદ છે, હઠ છે. કેમ કે સેંસર બોર્ડે રાજઘરાનાના લોકો, ઈતિહાસકારો, વિદ્વાનો સાથે ફિલ્મની સમીક્ષા કરી પછી જ તેને પાસ કરી તો હવે નિર્માતા સંજય લીલા શું કરે ? તે કહી શકે કે અમને તો બોર્ડે મંજૂરી આપી છે જાવ લડવું હોય તો સરકાર સામે લડો.

૨૭મી જાન્યુ.એ ચિતોડગઢમાં રાજપૂત સંમેલન બોલાવાયું છે. ટૂંકમાં કરણી સેનાની માગથી સંજય લીલાની ફિલ્મ ‘પદ્માવત’ ‘જોહર’ના તેવર લેશે ? તે સવાલ ઉઠયા વિના રહેતો નથી. સંજય લીલાએ હજુ ફિલ્મની રીલીઝ માટે વિધિવત જાહેર કરી નથી. તે દરમિયાન જ કરણી સેનાએ ફરી વિરોધનો સૂર આલાપ્યો છે.   ટૂંકમાં અત્યારે સંજય લીલા માટે સેંસરની મંજૂરી બાદ પણ ‘ટેન્શન’ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.