Abtak Media Google News

બાબરા સમાચાર

21મી સદીમાં પણ આજે રોગ મટાડવા તેમજ સંતાન પ્રાપ્તિ માનતાના નામે નિર્દોષ પશુની બલી ચડાવવામાં આવે છે. ત્યારે બાબરામાં કાળી ચૌદશનો પ્રારંભ થાય તે પહેલા જ માનતાના નામે બે પશુની બલી ચડાવવામાં આવી હતી. પ્રસાદ કરતી વેળાએ વિજ્ઞાન જાથાની ટીમ અને બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટકતા નાશ ભાગ થઇ હતી.બાબરાના વાલ્મિકી વાસમાં ભુવા રમેશ વાડોદરા અને તેના સાગ્રિતો અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવા નામના કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ચાર લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અપ્પુ જોશી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.