Abtak Media Google News
  • ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Entertainment : છેલ્લે ‘અનુપમા’ સિરિયલમાં નાનો પણ દમદાર કિરદાર નિભાવનાર તેમજ હોસ્ટ અને અભિનેતા તરીકે જાણીતા ઋતુરાજ સિંહનું સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 90ના દાયકામાં ઝી ટીવી પર રિયાલિટી ગેમ શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવનાર ઋતુરાજ સિંહે ટીવી પર ઘણી સીરિયલો, ઘણી ફિલ્મો અને OTT શોમાં કામ કર્યું હતું.

Advertisement

Ruturaj

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કાર્ડિયાક અરેસ્ટ એવી સ્થિતિ છે જેમાં હૃદય ધબકતું બંધ થઈ જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે બાકીના શરીરને ઓક્સિજનયુક્ત લોહી મળતું નથી અને આ રીતે તે મૃત્યુનું કારણ બને છે.

Ruturaj Sinh

1993માં ઝી ટીવી પર પ્રસારિત થયેલો તેમનો ટીવી શો ‘બનેગી અપની બાત’ પણ ઘણો લોકપ્રિય બન્યો હતો. તેણે ‘હિટલર દીદી’, ‘જ્યોતિ’, ‘શપથ’, ‘અદાલત’, ‘આહત’, ‘દિયા ઔર બાતી’, વોરિયર હાઈ’, ‘લાડો 2’ જેવી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.