Abtak Media Google News

જામનગરની આયુર્વેદ યુનિ.ની હોસ્ટેલના રૃમમાંથી ગઈકાલે સવારે માત્ર વીસ મિનિટમાં કાયદાથી સંઘર્ષિત એક કિશોર લેપટોપ, રોકડ, મોબાઈલ સહિતની મત્તા બઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરની આયુર્વેદ કોલેજની પી.જી. બોયઝ હોસ્ટેલના રૃમ નં.૭૪માં રહી અભ્યાસ કરતા રજનીક કરશનભાઈ જાદવ શનિવારે રાત્રે પોતાના રૃમ પર આવ્યા પછી તેઓ નિદ્રાધીન થયા હતા ત્યાર પછી ગઈકાલે સવારે આઠેક વાગ્યે રજનીકભાઈ ઉઠયા પછી દૈનિકક્રિયા પતાવતા હતા તે દરમ્યાન માત્ર વીસ મિનિટના સમયગાળામાં તેઓના ખુલ્લા પડેલા રૃમમાં કોઈ તસ્કર ઘૂસી ગયો હતો.

આ શખ્સે અંદર પડેલા લેપટોપ, મોબાઈલ, રોકડા રૃપિયા, સ્પીકર, એટીએમ કાર્ડ મળી રૃા.૫૪૯૯૯ની મત્તા ઉઠાવી લીધી હતી ત્યાર પછી જ્યારે આ બનાવની રજનીકભાઈને જાણ થતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ ડી.જી. ચૌધરીએ ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ જોયા પછી સોળેક વર્ષના કાયદાથી સંઘર્ષિત કિશોરની શંકાસ્પદ હિલચાલ નિહાળી તેની સામે રજનીકભાઈની ફરિયાદ પરથી આઈપીસી ૩૮૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.