Abtak Media Google News

પુરપાટ ઝડપે દોડતા વાહનોની સ્પીડ પર નિયંત્રણ લાવવા સામાજિક કાર્યકરની ચીફ ઓફિસરને રજુઆત

મોરબીના શનાળા બાયપાસ પાસે અકસ્માતો સર્જાવાનું જોખમ સર્જાયું છે. ત્યારે અકસ્માત સર્જાય તે પૂર્વે સ્પીડ બ્રેકર બનાવામા આવે તેવી સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે શનાળા બાયપાસ પાસે રોડ પર અકસ્માતોનું જોખમ છે. આ રોડ પર પુરપાટ ઝડપે વાહનો દોડતા હોવાથી આસપાસના રહીશો પર અકસ્માતનો ભય રહે છે.

વધુમાં જણાવ્યું કે શનાળા બાયપાસ પાસેના ગોકુલનગર, લાયન્સનગર, ફિદાઈ પાર્ક, તુલસીપાર્ક, આનંદનગર વાડી સહિતના વિસ્તારોના લોકોને જાનના જોખમે આ માર્ગ પરથી નીકળવું પડે છે. જાહેર સલામતીના ભાગ રૂપે શનાળા બાયપાસ પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.