Abtak Media Google News

કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથેસાથે જ્ઞાન, સંસ્કાર અને કેળવણી પણ આપવામાં આવે છે. તે અનુસંધાને શાળામાં તાજેતરમાં મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ રચિત ગાંધીએ (એકસપર્ટ ટીન કોચ એન્ડ યુથ આઈકોન) તેમજ સુમિતાબેન ગંગારામાણીએ વિદ્યાર્થીઓને ધ્યાનના મહત્વ વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળાની ૮૫૦ વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના સ્ટાફે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાના નિયામક હિરાબેન માંજરિયાએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે ભાવનાબેન સોનૈયાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.