Abtak Media Google News

કાલે હનુમાન જયંતિ નિમિતે સંતવાણી કાર્યક્રમ: સાધકોને લાભ લેવા અનુરોધ

ગોંડલ રોડ પર સ્વામિ વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.૧ને રવિવારના રોજ ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવની રૂપરેખા આ પ્રમાણે છે સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન સવારે ૭.૧૫ થી ૮ બ્રેકક્રાસ્ટ

Advertisement

સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન ગુરૂવંદના, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧૨.૩૦ થી ૩ દરમ્યાન મહાપ્રસાદ હરિહર તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીનાં ૮.૩૦ દરમ્યાન વિડીયો દર્શન પ્રશ્ર્નોતરી, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી, નિતિનભાઈ ચાંદ્રૈગ્રાનું વિશેષ પ્રવચન, તથા રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ હરિહર અને તા.૩૧ને શનિવારના રોજ પૂનમ હનુમાન જયંતી નિમિતે રાત્રે ૯.૩૦ વાગ્યે રાબેતા મુજબ સંતવાણીના કાર્યક્રમનું આયોજન ઓશો સન્યાસી બકુલભાઈ ટીલાવત દ્વારા કરવામાં આવ્યું છે.

હનુમાન જયંતિ નિમિતે ભજન સાથે હનુમાન ચાલીસા તથા ચોપાઈનું રસપાન બકુલભાઈ તથા સંતવાણીના કલાકારો દ્વારા કરાવવામાં આવશે.

ઉપરોકત ઓશો ધ્યાન શિબિર તથા સંતવાણીના કાર્યક્રમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ પ્રેમ મૂર્તિ તથા પાયલબેને અનુરોધ કર્યો છે. શિબિરમાં સહભાગીતા માટે સાધકે ધ્યાન મંદિર પર રૂબરૂ અથવા એસએમએસ દ્વારા રજી. કરાવવું જણાવાયું છે.

વિશેષ માહિતી તથા એસએમએસ માટે સ્વામિ સત્ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.