Abtak Media Google News

જામજોધપુર ધોરીમાર્ગ પર પીપરટોડા-સમાણા ગામ વચ્ચે મોટર-છકડો રિક્ષા વચ્ચે ટક્કર સર્જાતા સાત વ્યક્તિઓને ઈજા થઈ હતી. દોડી ગયેલી બે એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડયા છે.

જામજોધપુર તાલુકાના પીપરટોડાથી સમાણા ગામ વચ્ચે એક છકડો રિક્ષા અને મોટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ બન્ને વાહનોમાં મુસાફરી કરી રહેલા કુલ પૈકીના સાત લોકોને ઈજા થઈ હતી.

આ અકસ્માતની કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગઈ હતી ત્યાંથી ૧૦૮ના સ્ટાફે ગોવાભાઈ કરશનભાઈ ભરવાડ (ઉ.વ.૩૫), ભરતભાઈ લાલજીભાઈ ભરવાડ (ઉ.વ.રપ), રૃપાભાઈ મેસુરભાઈ ભરવાડ (ઉ.વ.૩૦), દેવાભાઈ કરશનભાઈ ભરવાડ (ઉ.વ.૩૦) સહિતના સાત વ્યક્તિઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત બનેલા બન્ને વાહનોને સાઈડમાં લેવડાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.