Abtak Media Google News

 જય સોમનાથ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ જીલ્લાના શાપર નજીક આવેલ ઢોલરામાં જય સોમનાથ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શાપર પોલીસે તપાસ કરતા વિદ્યાર્થીએ છેલ્લે મોબાઇલમાં વાત કરી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા મથામણ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઢોલરામાં જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી મુળ મેંદરણાના અણીયારા ગામની અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સ્વાતી સુરેશભાઇ પાઘડાર (ઉ.વ.૨૦)એ બપોરે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે શાપર પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીને રવિવારે એક દિવસ તેના પરિવાર સાથે વાત કરવા મોબાઇલ આપતા હોય, બપોરે મોબાઇલમાં વાત કરી પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે છેલ્લે કોની સાથે વાત કરી! તે સહિતની તપાસ હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ છ માસ પૂર્વે પણ કોલેજ વિવાદમાં આવી હતી જેમાં વાર્ષિક ફીની માંગણી સાથે સંચાલકોએ વિદ્યાર્થીઓના ઓરીજનલ સર્ટી ન આપી હેરાનગતિ કરતા તેમજ પાણી સહિતની અસુવિધાના આક્ષેપો થયા હતાં.

ત્યારે વધુ એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં રૂમમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રૂમમાં લટકતી હાલતમાં જોઈ અન્ય વિદ્યાર્થિનીઓ પણ ચોકી ઉઠી હતી. શાપર પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.