Abtak Media Google News

શિવમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલું નાટક નાટયપ્રેમી જનતાએ મન ભરી માણ્યું

શિવમ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં મહારાજા સર ભગવતસિંહ ટાઉન હોલ ગોંડલ ખાતે કવિ રમેશ પારેખ લિખિત અને ગૌતમ દવે દિગ્દશિત નાટક ‘સુરજને પડછાયો હોય’ ભજવાયું હતું.આઝાદીના અમૃત મહોત્સવ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના વર્ષ 2021-22 અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી ગોંડલની નાટયપ્રેમી જનતાએ મન ભરીને નાટક માણ્યું.

આ નાટકમાં કલાકારો ભરત પરમાર, વર્ષા પરમાર, પાયલ રાઠોડ, દર્પણ લાઠીગરા, ચાર્મી રાજવીર, શાહરૂખ પઠાણ, દેવ્યાની જગડ, જયેશ પડીયા, જતીન જગડ, પ્રિતેશ પરમાર અને ગુલામહુશનેપોતાની કલા પ્રસ્તૃત કરી હતી. સંગીત સંકલન ગુલાહુશેન અગવાન, સંગીત સંચાલન પ્રિતેશ પરમાર, પ્રકાશ રચના અને સંચાલન અમિત વાઘેલા, નેપથ્ય જયેશ પડીયા અને જતિન જગડ, મંચ સજજા અશોક લુંગાતર, રંગભૂષા દિલીપ પાડલીયા, ઉદધોષક શાહરુખ પઠાણ, મેર પાઘડીના કસબી રાજુ બોખીરીયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી ચેતન ટૉક તેમજ લાઇટ અને સાઉન્ડનું  સંચાલન પ્રતિક પીલોજયસએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.