Abtak Media Google News

સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા

એન.એમ઼વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દર વર્ષની જેમ આ વર્ષે પણ 75માં સ્વાતં દિનની ઉજવણી  ઉત્સાહભેર કરવામાં આવી.ભારત સરકારે આ 7પમાં સ્વાતં દિનને આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓને શ્રધ્ધાંજલી અર્પવા 75 વર્ષની ઉજવણી જેમાં 12 માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2023 સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી આપણા દેશમાં કરવામાં આવશે.વોકહાર્ટ હોસ્પિટલ જવાબદાર કોર્પોરેટ તરીકે અસીમ ઉત્સાહથી અને શ્રધ્ધાંજલી અર્પી આ દિનની ઉજવણીનુ સુંદર આયોજન કરેલ હતુ.

આ ઉપરાંત વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીઓએ હરોળમાં ઉભા રહી 75 ના આંકડાની આકૃતિ બનાવી હાથમાં દેશનો તિરંગો અને ત્રણ કલરના ફુગ્ગાઓ સાથે ઉભા રહી એક્તા અને વિવિધતાનો સંદેશ આપી ઉજવણી કરેલ હતી.

આ કાર્યક્રમમાં હોસ્પિટલના જુદા જુદા વિભાગના અધિકારીઓ, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનુ આયોજન અને સંચાલન હોસ્પિટલની ટીમ એચ આર  ારા કરવામા આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.