Abtak Media Google News

અબતકની મુલાકાતમાં પરબ ભક્ત સેવક સમુદાયના આગેવાનોએ મહોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને ઉમટી પડવા કર્યું “આહવાન”

સંત સુરાની સૌરાષ્ટ્રની ધરતી પર જીવતા પીરાણા અને માનવ સેવાના જ્યાં યજ્ઞ ચાલે છે તેવા :પરબધામ”માં દિવ્ય ચેતના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતમાં પરબના ભક્તો સેવક પ્રાગજીભાઈ સાવલિયા, લાલજીભાઈ વસાણી, વિપુલભાઈ સંચાણિયા, કિરીટભાઈ પરમાર ,રાજુભાઈ ખૂટ ,મહેશભાઈ રાબડીયા, અને લક્ષ્મણભાઈ આહિરે મહોત્સવની વિગતો આપતા જણાવ્યું હતું કે પરમ દિવ્ય ચેતના મહોત્સવ ધર્મ ક્ષેત્રે એક વિક્રમ સર્જક મહોત્સવ બની રહેશે ,દિવ્ય ચેતના મહોત્સવ માં 140 મૂર્તિનું એકસાથે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો અવસર સર્જાશે. પરબધામના મહંત સંત કરસનદાસ બાપુ સદગુરુ સેવાદાસજી બાપુના સાનિધ્યમાં એક થી ત્રણ મે સુધી યોજનારા આ દિવ્ય ચેતના પરબધામ 2023 મહોત્સવ નો આરંભ વૈશાખ સુદ દશમ રવિવાર 30 એપ્રિલે યજ્ઞ અધિકાર સિદ્ધિ થી થશે,

Advertisement

Dsc 0602

બપોરે બે થી ચાર હેમાદ્રી દેહ સુધી, સાંજે 5 થી 6:30 જલયાત્રા અને 30 મી એપ્રિલે રાત્રે 9:30 વાગે સંતવાણીમાં વિદુરભાઈ આહીર લીંબા ભગત અને ભજનીક મુન્નાભાઈ ભરવાડ સાહિત્ય રસોઈ પીરસે મહોત્સવના પ્રથમ દિવસે સવારે સાત વાગે વેદઘોષ, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, દેવતા આહવાન મૂર્તિ જલાદીવાસબપોરે 12 થી 12:30, સાંજે સવા છ વાગે મૂર્તિઓને ધાન્યાદિવાસ ત્યારબાદ સાઈ આરતી અને રાત્રે સંતવાણીમાં ભગવતીબેન ગોસ્વામી, સહદેવભાઈ કેશવાલા, લીંબાભાઇ ભગત, વિદુરભાઈ આહીર ,સંતવાણી માં કાર્યક્રમ આપશે પહોંચતો ના બીજા દિવસે 2.5 મંગળવારે સવારે નિત્ય પૂજા, કુટીરહોમ, વાસ્તુ હોમ લઘુરુયાગ શાંતિ પૌષ્ટિક હોમ મૂર્તિદેવતા હોમ. વિસ્થાપિત દેવતા હોમ મૂર્તિ તત્વોની મૂર્તિદેવતા પૂજન મૂર્તિ દેવતા સ્વપ્ન મૂર્તિદેવતા સૈયાધિવાસ સાંઇ પૂજા આરતી અને રાત્રે 9:00 વાગે ગાયક કલાકાર કાજલબેન બુધેલીયા. દર્શનભાઈ અધેલીયા ના સથવારે દાંડિયા રાસની રમઝટ બોલશે

મહોત્સવ ના  અંતિમ દિવસે અવાહિત દેવતાની પૂજન મૂર્તિ જાગરણ મધ્યાંંજન મૂર્તિ નાત્મક હોમ મૂર્તિ પ્રતિષ્ઠા ઉતરાણ કરશે યજ્ઞ પૂર્ણાહુતિ શિખરા અભિષેક વધારે સ્થાન સંત આશિર્વચન અને નવ વાગે સંતવાણીમાં અલ્પાબેન પટેલ વિપુલભાઈ રાજુભાઈ ભટ્ટ નીરૂબેન દવે નો કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં યુગનોત્સવમાં સંતો ચાપરડા ના મુક્તાનંદજી બાપુ રામનાથ ધામના સચ્ચિદાનંદ જી બાપુ ,ભવનાથના શેરનાથ બપુ ,સતાધારના વિજય બાપુ, તોરણીયા ના રાજેન્દ્ર દાસ બાપુ, ચલાલાના વલકુ બાપુ, ભારતી આશ્રમ ઇન્દ્રભારતી બાપુ ,પાળીયાદના મહામંડલેશ્વર નિર્મળાબા, જૂનાગઢના મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ ,વડવાળા ના કરણી રામ બાપુ ,લીમડીના લલિત કિશોર બાપુ ,જુનાગઢ હવેલીના પિયુષચંદ્ર બાવા, વાઘણીયા ના અમૃત ગીરીબાપુ, અંબાજીના તન સુખગીરી બાપુ રામેશ્વરના ગોવિંદ બાપુ ઉપલા દાતાર જમિયલ શાહ ના ભીમ બાપુ પોરબંદરના રમેશભાઈ ઓઝા ,સિહોરના ઝીણા રામ બાપુ, સણોસરા ના નીરુ બાપુ ,પીપળીધામના વાસુદેવ મહારાજ, બગદાણાના મનજી બાપા ,રામ ટેકરીના રામ લખનદાસ બાપુ ,ભુતવડ ના મનુ પરી બાપુ, ભવનાથના હરીગીરી બાપુ ,નવા રણુજાના સુરેન્દ્રબાપુ ,વડધરી ના રાજુરામ બાપુ ,ગધેસરના લાલબાપુ,  શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી અને બીલખા ચેલૈયા ધામના રામરૂપ બાપુ અને કમંડળ કુંડના મહેશ ગીરીબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહેશે

યજ્ઞમાં વિદ્વાન આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રમુખ સી આર પાર્ટી ,મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીઓ મુળુભાઈ બેરા ,ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, રાઘવજીભાઈ પટેલ સાથે ખોડલધામ ના નરેશભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા ,સાંસદ રમેશભાઈ ધડુક, પુનમબેન માડમ, નારણભાઈ કાછડીયા, રાજેશભાઈ ચુડાસમા ,રામભાઈ મોકરીયા, કૌશિકભાઇ વેકરીયા, જગદીશભાઈ મકવાણા, અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ભુપેન્દ્રભાઈ ભાયાણી ,જયેશભાઈ ટુંડિયા ,જેવી કાકડીયા, રમેશભાઈ ટીલાળા, સંજયભાઈ કોરડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા,   હીરાભાઈ સોલંકી, ભગવાનજીભાઈ જાડેજા, દેવાભાઈ માલમ, પ્રશાંતભાઈ કોરાટ, ભરતભાઈ બોઘરા, દિલીપભાઈ પટેલ: મનસુખભાઈ ખાચરિયા, શાંતાબેન કટારીયા, ભુપતભાઈ બોદર ઘનશ્યામભાઈ વિરાણી પરેશભાઈ ધાનાણી ,આરસી મકવાણા, રમેશભાઈ મેંદપરા ,ગોપાલભાઈ રૂપાપરા, પ્રફુલભાઈ સોરઠીયા, સહિતના મહાનુભાવો ને ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા છે યજ્ઞમાં આચાર્ય તરીકે  પ્રવીણચંદ્ર જોશી બિલખાના કેતનકુમાર મહેતા અને બંધારણના શ્યામકુમાર જોશી યજ્ઞ આચાર્ય તરીકે સેવા આપશે આ મહોત્સવમાં ઉમટી પડવા સંત શ્રી કરસનદાસ બાપુ એ ભક્તોને આહવાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.