Abtak Media Google News

લો-કમિશનના સભ્ય બાદ કેન્દ્રીય કમિટીમાં મુળ વકિલને સ્થાને મળતા ધારાશાસ્ત્રીઓમાં ખુશી

ભારતીય કાનુન પંચના ઈતિહાસમાં સર્વપ્રથમ મુળ વકીલ તરીકે નિમણુક પામેલા રાજકોટના અભય ભારદ્વાજની તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઈલેકશન ટ્રીબ્યુનલમાં, સૌરાષ્ટ્રમાંથી પ્રથમ નિમણુક થયા બાદ કેન્દ્ર સરકારના ઔધોગિક ટ્રીબ્યુનલના મુખ્ય જજોની પસંદગી કરવા રચાયેલી સર્વોચ્ચ સમીતીના સભ્ય તરીકે અભય ભારદ્વાજને નિમણુક કરવામાં આવી છે. દિલ્હી, ચેન્નાઈ, ચંદીગઢ, જબલપુર, જયપુર, ધનબાદના અને મુંબઈના રાષ્ટ્રીય ઔધોગિક ટ્રીબ્યુનલના પ્રીસાઈડીંગ ઓફિસર નકકી કરવા માટે કેન્દ્રીય કેબિનેટની નિમણુક સમિતિએ દેશભરમાંથી પસંદ કરેલા દેશના પાંચ ટોચના કાનુની નિષ્ણાંતોમાં અભય ભારદ્વાજની નિમણુક થતા રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

કેન્દ્ર સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચેના ઔધોગિક વિવાદના નિરાકરણ માટેના સર્વોચ્ચ ઔધોગિક ટ્રીબ્યુનલોના મુખ્ય જજોની ખાલી જગ્યાઓ પુરવા રચાયેલી આ રાષ્ટ્રીય પસંદગી સમીતીમાં ભારદ્વાજ ઉપરાંત સ્થાન મેળવનારાઓમાં એલ.નરસિંહ રેડ્ડી (પટણા હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયમૂર્તિ), કેન્દ્રના મંજુર મંત્રાલયના સચિવ શ્રીમતી એમ.સત્યવતી, કેન્દ્રના ધારાકીય મંત્રાલયના સચિવ ડો.જી.નારાયણ રાજુ તથા કેન્દ્રના કાયદા મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ શ્રીમતી સ્નેહલતા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. દેશના પાટનગરના શ્રમશકિત ભવનના કમીટી ‚મમાં તા.૨૪/૧/૨૦૧૮ના સવારે ૧૧ કલાકે મળનાર સર્વોચ્ચ પસંદગી સમીતીની પ્રથમ મીટીંગમાં અભય ભારદ્વાજ હાજરી આપવા જાય ત્યારે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૮૦૧૪૦ પર દેશભરમાંથી અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.