Abtak Media Google News

સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી તી

રાજકોટ શહેરના માધાપર વિસ્તારની સગી2ાના અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન 52 છુટકારો થયો છે.આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા ભોગ બનનારના પિતાએ પોતાની પુત્રી રાત્રીના સમયે ઘરે સુતી હોય તે ઘરમાં જોવામાં ન આવતા ઘ2ના બધાને જગાડેલ અને ભોગ બનનાર પુત્રી ગુમ થયાની હકીકત જણાવેલ જેથી ઘરના બધા સભ્યોએ આજુબાજુમાં તેમજ સગા વ્હાલાઓમાં તપાસ કરેલી પરંતુ ભોગ બનનાર ક્યાંય મળી આવેલ ન હતી જેથી ફરીયાદીએ પોતાની રીતે તપાસ કરતા પોતાની પુત્રીને રતનપર ગામ મુકામે રહેતા સંજયભાઈ કાનાભાઈ ભરવાડ સાથે પ્રેમ સબંધ હોય અને અગાઉ પોતાના મોબાઈલ ફોનમાં આ સંજય ભરવાડનો ફોન આવેલ હતો.

ભોગ બનનાર મોબાઈલ ફોનમાં સંજય ભરવાડ સાથે સતત ફોનમાં વાતચીતી કરતી જેથી ફરીયાદીએ આ સંજય ભરવાડનો રતનપર ગામે તપાસ કરાવતા તે પણ ઘરે નહીં હોવાની હકીકત જાણવા મળેલ જેથી આ સંજય ભરવાડ જ ભોગ બનનારનું લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના અપહરણ કરી ગયેલાની હકીકત ધ્યાનમાં આવતા ગાંધીગ્રામ – 2 યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ  નોંધાવી હતી. પોલીસે તા. 03/09/2022 ના રોજ આ કામના આરોપી સંજય કાનાભાઈ શીયાળ ( ભરવાડ ) ની ધરપકડ કરી હતી.

આરોપીએ ભોગ બનનારની સાથે શરીર સંબંધ બાંધેલાની હકીકત ખુલવા પામતા પોલીસ ધ્વારા સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 376 તેમજ પોકસો એકટની કલમ 4, મુજબ ઉમેરો કરવા માટેની અરજી આપતા કોર્ટે ફરીયાદીની ફ2ીયાદમાં ઉપરોક્ત કલમનો ઉમેરો કરતો હુકમ ફરમાવેલ હતો. જેલમાં રહેલા આરોપીએ જામીન માટે અરજી કરતા આરોપીના વકીલની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી સંજય કાનાભાઈ શીયાળ (ભરવાડ) ને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફ2માવેલ છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, 2ણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.