Abtak Media Google News

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈને 14મીએ રાજ્યમાં અને 16મીએ અમદાવાદમાં યોજાનાર પ્રતીક ઉપવાસ આંદોલન ભારત- પાકિસ્તાનની મેચના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. અગાઉ માત્ર અમદાવાદમાં ઉપવાસ કાર્યક્રમની તારીખ બદલવાનું શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા નક્કી કરાયું હતું. પરંતુ ત્યારબાદ સમગ્ર રાજ્યમાંથી આ અંગે સંકલન સમિતિને રજૂઆત કરવામાં આવી હતી. તેના લીધે પ્રતીક ઉપવાસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે પછી શૈક્ષણિક સંકલન સમિતિની બેઠક મળશે જેમાં આંદોલનની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

પડતર પ્રશ્નોને લઈને  યોજાનાર પ્રતીક ઉપવાસ આંદોલન ભારત- પાકિસ્તાનની મેચના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને લગતા 10 મુદ્દાને લઈને લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ સરકારે નિર્ણય લઈ ઠરાવની ખાતરી આપી હતી, પરંતુ ઠરાવ કરવામાં ન આવતા શૈક્ષણિક સંકલન સમિતિએ તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી હતી. શૈક્ષણિક સંકલન સમિતિના 9 તબક્કાના કાર્યક્રમમાં 10 પૈકી 3 જેટલી માંગણીઓ સંતોષાઈ છે, જ્યારે હજુ પણ 7 માંગણી અંગે ઠરાવ થયા નથી.

10મા તબક્કાના કાર્યક્રમમાં જિલ્લા મથકે બપોરે 12થી 5 પ્રતીક ઉપવાસ બેનર સાથે તથા તમામ કર્મચારીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી હાજર રહે તે પ્રમાણે આયોજન કરવામાં આવશે તેમ નક્કી કરાયું હતું. જોકે, 14 ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાનાર હોવાથી શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલનની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.