Abtak Media Google News

ફેબ્રુઆરી માસમાં મેઇન બોર્ડનો એક પણ આઇપીઓ ન આવ્યા

જાન્યુઆરી ની 27 મી તારીખે ખુલેલા અને જાન્યુઆરી ની 31 તારીખે બંધ્ થયેલા અદાણી એન્ટરપ્રાઇઝ ના 20000 કરોડ ના રાજ્ઞ ના કેન્સલ થવાના કારણે શેરબજારમા પ્રાયમરી માર્કેટમાં એક મોટો શુન્યવકાશ સર્જાયો છે. શાજ્ઞ   માર્કેટ સ્તબ્ધ છે. ફેબ્રુઆરી મહિનામાં એકપણ શાજ્ઞ-રાજ્ઞ ની જાહેરાત કે તારીખો હજુ સુધી જાહેર થઈ નથી. ફક્ત નાના – નાના તળય શાજ્ઞ આવી રહ્યા છે અને તે અનેક ગણા ભરાઈ પણ જાય્ છે .બાકી મેઇન બોર્ડ શાજ્ઞ  ની જાહેરાતો થઈ રહી નથી.

ભારત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2023 માં ડીસ ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ 65000 કરોડ ની સામે અત્યારસુધી ફક્ત 31000 કરોડ નુ જ અચીવમેન્ટ થયું છે. જે ઘણું ઓછું છે. માર્ચ મહિનામાં ાતી કંપની ના એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ ના જ્ઞરત આવવાની શક્યતા પુરેપુરી છે. જે કદાચ 50000 કરોડ સુધી પહોંચી શકે છે. પરંતુ 65000 કરોડ રૂપિયા નો ડીસ ઇન્વેસ્ટમેન્ટ્ ના ટાર્ગેટ પૂરો થવાની શક્યતા નથી.

સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024 ના બજેટમાં ડીસ ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ઘટાડીને 51000 કરોડ કરવામાં આવ્યો છે. તેનું કારણ પણ ચાલુ નાણાકીય વર્ષ માં પુરા ન થઈ રહેલા ટાર્ગેટ જ છે.

સેક્ધડરી માર્કેટમાં રક્ષજ્ઞ માં વોલ્યૂમ વધી રહ્યું છે. સેન્સેક્ષ્ 61500 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી પણ 18000 ઉપરજ ટ્રેડ કરી રહી છે. હેવી વેઇટ શેરોમાં ઘટાડો જોવા મળતો નથી.

ખાસ કરીને દિગ્ગજ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક પરિણામો સારા આવી રહ્યા હોઈ બજાર ઘટતું નથી.જ્યા સુધી પ્રાયમરી બજારને લાગે વળગે છે ત્યા સુધી એક મોટા મેઇન બોર્ડ શાજ્ઞ ની જરૂર છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર પ્રાયમરી માર્કેટ ની સ્તિથી હાલમાં સારી નથી પરંતુ એક બે હિટ શાજ્ઞ આવશે એટલે ફરી બજારમાં રોનક્ આવી જશે માર્ચ – એપ્રિલ થી ફરી પ્રાયમરી માર્કેટ ધમધમતું થઈ જશે તેમાં કોઈ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.