Abtak Media Google News

ABO ગ્રુપ સિસ્ટમની શોધ કાર્લ લેન્ડ સ્ટેઇનરે કરી હતી: રકતની ખેંચ પૂર્ણ કરવા યુવા રકતદાતાને પ્રોત્સાહીત કરવા જરૂરી: બીમાર દર્દી માટે લોહી તેના જીવન અને મૃત્યુની બાબત છે: લોહીનો લાલ રંગ સાથ, સહકાર અને સંગનો છે

લોહીનો બીજો કોઇ વિકલ્પ ન હોવાથી આપણું લોહી જ બીજાની જીંદગી બચાવી શકે: વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના 11 મહત્વના કાર્યક્રમમાં રકતદાન પ્રવૃત્તિનો સમાવેશ કરાયો છે: દર ત્રણ મહિને રકતદાન કરનાર તંદુરસ્ત ગણાય કારણ કે તેની વિવિધ તપાસ થતી હોય છે

 

લોહી એક જીવંત પ્રવાહી છે. વિજ્ઞાને માનવ રકતને નાથ્યું અન માનવ રકતની સારવારથી કરોડો લોકોના જીવ બચાવ્યા છે. એક માનવીની લોહીની જરુરીયાત  બીજો માનવી જ પુરી પાડી શકતો હોવાથી સ્વૈચ્છીક રકતદાતાનું વિશેષ મહત્વ છે. વિશ્ર્વ રકતદાતા દિવસે કોઇક ના બૂઝાતા દિપકને તમારા રકતદાનથી નવજીવન આપો એ જ શ્રેષ્ઠ સેવા ગણાશે. રકતદાનને રકતધર્મ નિભાવો તેમ પણ આજે તો કહી શકાય કારણ કે રકતદાન જેવું બીજું એક પણ દાન ન હોય શકે. વિશ્ર્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે, આપણા બધાના પ્રત્યેક શરીરમાં ધબકતું લોહી તો એક સહિયારી મૂડી છે, આ મૂડીનો સદઉપયોગ એટલે  જ સ્વૈચ્છીક રકતદાન માટે આજે જ આપો, હમણાં જ આપો રકતદાન કરો.

 

કોઇના બૂઝાતા દિપકને તમારા રકતદાનથી નવજીવન આપો એ સૌથી શ્રેષ્ઠ જન સેવા ગણી શકાય

એક  અંદાજ મુજબ આપણાં દેશમાં દર વર્ષે પાંચ કરોડથી રકત બોટલની જરુરીયાત ઉભી થાય છે તેની સામે એક કરોડ જ લોકો રકતદાન કરે છે. તેથી બ્લડ બેંક સતત તેની તીવ્ર ખેંચ ઉભી થતી જોવા મળે છે. પ્રત્યેક વ્યકિત નિયમિત સ્વૈચ્છીક રકતદાન કરે તો જ તબીબી સારવારમાં માનવ રકતની ખોટ પૂરી કરી શકાય છે. આજે રકતદાન કેમ્પ ઉપરાંત જન્મ દિવસે કે જીવનના વિવિધ શુભ દિવસોએ લોકો કોઇકના બૂઝાતા દિપકને પ્રજવલિત કરવા રકતદાન કરવા લાગ્યા છે. આપણાં દેશમાં હજી બધા લોકો રકતદાન કરતાં નથી જો કે આપણા ગુજરાતમાં 70 ટકાથી વધુ લોકો રકતદાન કરવા લાગ્યા છે. જેને આપણે આજે સંકલ્પ કરીને 100 ટકા લક્ષ્યાંકે પહોચાડવાનો છે.

વિશ્ર્વ રકતદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છીક રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવાનો દિવસ છે. આ દિવસ વિશ્ર્વસ્તર ર007 થી ઉજવણી કરાય છે. 1930માં નોબલ વિજેતા અને એ.બી.ઓ. બ્લડ ગ્રુપ સિસ્ટમનાં શોધક કાર્લ લેન્ડ સ્ટેઇનરના જન્મ દિવસની યાદમાં આ દિવસ ઉજવણી કરાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ રકતદાનના મહિમાને વધારવા આ દિવસ ઉજવવાની પહેલ કરી હતી. લોહીનો બીજો કોઇ વિકલ્પ ન હોવાથી આપણું લોહી જ બીજાની જીંદગી બચાવી શકે છે. કુદરતે પણ આપણાં શરીરનાં લાંબા હાડકાના પોષણમાં વધારાનું બ્લડ રાખેલ એટલા માટે છે કે આપણને અકસ્માત કે અન્ય ઇજા થાય તો જે લોહી વહે તેના બદલમાં એ લોહી કામ આવે છે, માટે રકતદાન કરવાથી આપણને કોઇ મુશ્કેલી પડતી જ નથી.

દર ત્રણ માસે રકતદાન કરનાર ડોનર તંદુરસ્તી એટલા માટે ગણાય છે. દર વખતે તેની એચ.આઇ.વી., વી.ડી.આર.એલ. જેવી વિવિધ તપાસ થતી હોવાથી તેને વગર પૈસે સેવા સાથે પોતાની તપાસ થઇ જાય છે. સુરક્ષિત બ્લડ ‘બ્લડ બેંક’ માંથી ઉપલબ્ધ થતું હોવાથી તેની મહત્તા વધું છે. આજે તો લગભગ દરેક સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક ઉપલબ્ધ છે. ખાનગી કે ટ્રસ્ટ અથવા રેડક્રોસની બ્લડ બેંક પણ હોય છે. આટલી બધી સુવિધા વચ્ચે પણ રકતની ખેંચ લગભગ દરરોજ જોવા મળે છે. તેનું કારણ રકતદાન ઓછું થવાથી જોવા મળે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના 11 સત્તાવાર કાર્યક્રમ અને દિવસ પૈકી એક રકતદાન દિવસ પણ છે, તેથી કેટલી અગત્યતા હશે તે આપ વિચારી શકો છો.

લોહીના 10 મિલિયન યુનિટના અંદાજ સામે 80 ટકાના દરે જ પરત રકતદાન આવતું હોવાથી સતત ખેંચ બ્લડ બેંક અનુભવે છે. રકતદાનનું ઉમદા કાર્ય જ જીવન બચાવી શકે છે. રકત અને રકત સંબંધીત ઉત્પાદનો ઘણા દર્દીઓ માટે મહત્વ પૂર્ણ જરુરીયાત છે. જેમ કે ગર્ભાવસ્થા, બાળજન્મ સાથે સંકળાયેલ રકતસ્ત્રાવ પિડિત મહિલાઓ, મેલેરીયા, કુપોષણ, એનેમિયાથી પીડાતા બાળકો, કટોકટી, આપત્તિ, સર્જરી, અકસ્માતો, લોહી ઉડી જવું જેવી ઘણી ઇમરજન્સીમાં તેની આવશ્યકતા જોવા મળે છે.

રકતદાનએ એકતાનું કાર્ય છે, તેના દરેક પ્રયત્નોમાં જોડાવો અને જીવન બચાવો સ્વૈચ્છીક રકતદાન જીવન બચાવવા અને સમુદાયોમાં એકતા વધારવાની ભૂમિકાને પ્રોત્સાહીત કરવા ડબલ્યુ.એચ.ઓ. એ આ થીમ નકકી કરી છે. સ્થાનાતરણ માટે સુરક્ષિત રકત અને રકત ઉત્પાદનોની જરુરીયાત અંગે વૈશ્ર્વિક જાગૃતિ

વધારવાના પ્રયાસોમાં સહિયારા પ્રયાસો જરુરી છે. લોકોના ટ્રાન્સફયુઝનનું સંચાલન કરવા પર્યાપ્ત સંશાધનો વધારવા જરુરી છે.

આજે તો બ્લડ કોમ્પોનેટ પઘ્ધતિ આવતા એક જ હોલ બ્લડ માંથી બે ત્રણને જેને જે ઘટકોની જરુર પડે ત તેને બ્લડમાંથી છુટું પાડીને અપાતું હોવાથી દર્દીની રીકવરી ફાસ્ટ થઇ ગઇ છે. જેમ કે પ્લાઝમા, આર.બી.સી. કે ડબલ્યું બી.સી. જેવા કે ઘટકની ખામી હોય તે જ તેને ચડાવાય છે. પર્યાપ્ત પુરવઠો જાળવવા અને સલામત રકત તબદીલી માટે સાર્વત્રિક અને સમયસર પહોચંચ પ્રાપ્ત કરવા માટે સૌએ પ્રતિબઘ્ધ રહેવું જ પડશે. બ્લડ મેનેજમેન્ટ સૌથી અગત્યની બાબત છે. સાચો સમય, સાચો ડોનર, સાચી જગ્યા જેવું કોમ્બિનેશન જ સૌથી શ્રેષ્ઠ છે. ગત વર્ષે વૈશ્ર્વિક સેલિબ્રેશન મેકિસકો ખાતે યોજાયું હતું.બધા દેશોને સ્વૈચ્છીક, અવેતન રકતદાતાની જરુર પડતી જ હોય છે તેના માટે સતત લોકશિક્ષણ અને જનજાગૃતિ અસરકારક ઉપાય છે. આ જીવન રક્ષક પ્રક્રિયા માટે ખાસ યુવા વર્ગ આગેવાની લે તો જ આપણે ધાર્યા પરિણામો મેળવી શકીશું. શેર લાઇફ, ગીવ બ્લડ, આ સૂત્રને અનુસરીને યુવા વર્ગે દર ત્રણ મહિને રકતદાન કરી તેની માંગ પૂર્ણ કરવા મિત્ર વર્તુળ સાથે સેવા ધર્મ બજાવવો જોઇએ અને આજ સંકલ્પ પણ હોય શકે છે.

 

કુદરતની અણમોલ ભેટ રકત, રૂધિર કે લોહી !!

 

અનાદિકાળથી લોહીને આપણે મંત્ર મુગ્ધ બનીને જોઇએ છીએ. અજ્ઞાન ગુુફાવાસી આદિ માનવ પણ એટલું સમજી શકતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરુરી છે. રકત આપણાં શરીરમાં પળે પળ વસંત લાવે છે, જેનું કારણ છે કુદરતની અણમોલ ભેટ- રકત, રૂધિક કે લોહી છે, હજારો વૈજ્ઞાનિકોએ રકતમાં રહેલા ગુઢ રહસ્યોનો ભેદ ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકેમિસ્ટોએ હિમોગ્લોબિન અને પ્રોટીન પદાર્થોનો અવિરત અભ્યાસ આદયો છે. લોહીના દર્દોને

સમજવા તથા તેની શ્રેષ્ઠ સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટો લોજીસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યુ છે. રકતનો અભ્યાસ એ જીવનનો પણ અભ્યાસ છે, કેમ કે ખરેખર તો રકત એ જ જીવન છે. કુદરતના તમામ રાતા કે લાલ, રંગોમાં લોહીનો રંગ સૌથી ચડિયાતો છે..જંગમાં, ઉમંગમાં કે માનવીના અંગે અંગમાં વહે છે. આ રંગ તે સાથ, સહકારી અને મદદનો અંગી છે. કોઇના પ્રાણ બચાવવા રકતદાન એ સૌથી શ્રેષ્ઠ મહાદાન છે. સૃષ્ટિની દરેક જીવતી વ્યકિતમાં રકતરૂીપ જીવન સરીતા અખંડ વહે છે. હ્રદય દ્વારા સંચાલિત રકત માનવ શરીરમાં ફરે છે. શરીરનો કચરો સાફ કરે અને શરીરના કરોડો કોષો જેનું જીવન વાળુ ઉપર નિર્ભર છે તેને પુરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.