Abtak Media Google News

શોભાયાત્રા, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો મોચી સમાજના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

રાધેશ્યામ ગૌશાળા, સર્વે મોચી સમાજ દ્વારા આગામી તા.૧૮ને મંગળવારે ગાંધીગ્રામની ધાર ઉપર, પાણીના ટાંકા પાસે, ગાંધીગ્રામ રામાપીર ચોકડી, ૧૫૦ રીંગરોડ ખાતે લાલાબાપાની પૂણ્યતિથિ ઉજવાશે આ તકે શોભાયાત્રા, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2017 04 15 11H46M39S4મંગળવારે સાંજે ૪ કલાકે શોભાયાત્રા ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજબેંકની સામે લાભદીપ-૧ યોગેશભાઈ ભગવાનજીભાઈ વાઢેરને ત્યાંથી પ્રસ્થાન કરશે મહાપ્રસાદ સાંજે ૬ કલાકે યોજાશે જયારે સંતવાણી રાત્રે ૯ કલાકે રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહંત રાધેશ્યામબાપુ, વોર્ડ નં.૧ કોર્પોરેટર બાબુભાઈ આહિર તથા કાર્યકર્તા કલ્પેશ ચાવડા, મુકેશ ચાવડા, ગીરીશ ચાવડા, સુરેશ ચૌહાણ, હરેશ વાઘેલા અને વિજય પરમાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.