Abtak Media Google News

પૂજય બાપુની જન્મ જયંતિએ ગાંધી મ્યુઝિયમ સહિતનાં પ્રોજેકટ લોકાર્પણ થાય તેવી શકયતા

રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની જન્મજયંતિ અવસરે રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ, ક.બા.ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાને નવીનીકરણની કામગીરી પૂર્ણ તથા ત્રણેય પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતા આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ વ્યકત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં પૂ.બાપુની યાદો સો જોડાયેલ આલ્ફેડ હાઈસ્કૂલ, ક.બા.ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાને વિકસાવવા માટે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે જે અન્વયે આલ્ફેડ હાઈસ્કૂલમાં ગાંધી મ્યુઝિયમની કામગીરી વેગવંતી હોય આગામી ૨જી ઓકટોમ્બરે પૂ.બાપુની જન્મજયંતિએ ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરવા વિચારણા ચાલી રહી છે.

એ જ રીતે રાષ્ટ્રીય શાળામાં પણ નવીનીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું જણાવી જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ગાંધી જયંતિના અવસરે ક.બા.ગાંધીના ડેલા સહિતના ત્રણેય પ્રોજેકટો લોકાર્પણ થાય તેમ હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.