Abtak Media Google News

ભારતીય વાયુસેના દ્વારા આજે વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસી 12 મિરાજ 2000 ફાઇટર વિમાનોએ જૈશ એ મોહમ્મદના આતંકવાદી કૅમ્પો પર ભીષણ બૉંબ વર્ષા કરી હતી.

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે POk પર કરવામાં આવેલા આ હુમલામાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. જેમાં કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. જ્યારે અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.