Abtak Media Google News

ગૌશાળા-પાંજરાપોળોને દૈનિક ધોરણે કાયમી સબસીડી મળે તે અંગે રજૂઆત

વૈશ્ર્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજનના પ્રતિનિધિ મંડળે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીનાં નેતૃત્વમાં ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સો શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સમગ્ર ભારત અને ગુજરાતમાંથી અખાતી દેશોમાં જીવતા પ્રાણીઓની નિકાસ તાત્કાલીક અટકાવવામાં આવે તે અંગે રાજ્યપાલને આવેદન અપાયું હતું. સમગ્ર ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોમાં ૪ લાખી વધુ અબોલ જીવોની સેવા કરવામાં આવી રહી છે. બદલાયેલા આર્થિક સંજોગોને લઈને તેમજ મોંઘવારી, દાનના ઘટતા જતા પ્રવાહ, પશુઓની વધતી સંખ્યા વિગેરે કારણોસર દિન પ્રતિદિન ગૌશાળા-પાંજરાપોળશેનો નિર્વાહ કરવો દુર્ગમ તો ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર, રાજસન સરકાર અને ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ ગૌશાળા-પાંજરાપોળોને પાુ દિન દૈનિક, કાયમી સબસીડી આપવાની વિનંતી કરવામાં આવી હતી. સીક્કીમની જેમ જ ગુજરાતને પણ ઓર્ગેનિક સ્ટેટ બનાવવા માટે કેમીકલ ફર્ટીલાઈઝર અને કેમીકલ જંતુનાશકને પ્રાપ્ત થતી સબસીડી તાત્કાલીક બંધ કરવા અનુરોધ કરાયો હતો. તે જ રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સમસ્ત મહાજનની ટીમ વચ્ચે ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતિનું પુન: સપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરર્ણો જનજાગરણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહન સહિતના અનેકો મુદ્દા ઉપર ચર્ચા , હતી. આ પ્રસંગે રાજ્યપાલે સમગ્ર રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મીંગના વિકાસ અંગે પોતાની વિશેષ અભિરૂચી અને તત્પરતા દર્શાવી હતી.

7537D2F3 16

આ તકે ગીરીશભાઈ શાહે અયોધ્યા ખાતે નિર્માણ વા જઈ રહેલા રામ મંદિર નિર્માણમાં તકનીકી સહાયક થઈ શકે તેવા માહિતસભર ગ્રંથો નો સેટ રાજ્યપાલને અભ્યાર્સો આપેલો હતો. આ પ્રસંગે રાજેન્દ્રભાઈ શાહ, રમેશભાઈ ઠક્કર, જયંતીભાઈ દોશી, ચીનુભાઈ શાહ, રાજુભાઈ શાહ, ભાવેશભાઈ સોલંકી, હરેશભાઈ શાહ, અભયભાઈ શાહ સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.