Abtak Media Google News

વધુમાં વધુ પરિવારજનોને કેમ્પમાં રકતદાન કરવા અનુરોધ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સમસ્ત સોજીત્રા પરિવારનું રાજકોટમાં રહેતા પરિવારજનો માટે તા.૧ર જાન્યુઆરી ૨૦૨૦ ને રવિવારના રોજ ક્રિષ્ના પાર્ટી પ્લોટ (મવડી-પાળ રોડ, દેશીધમાલની સામે રામધણ પાછળ) ખાતે સ્નેહમિલન આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહમિલનમાં બપોરે બે વાગ્યાથી પરિવારજનોનો રકતદાન કેમ્પ રાખવામાં આવેલ છે.

સાંજે પાંચ વાગ્યે શરુ થનાર સ્નેહમિલનમાં અતિથિ વિશેષ પદે ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન તથા પ્રમુખ નરેશભા પટેલ, ફાલ્કન ગ્રુપના ચેરમેન કમલ નયનભાઇ સોજીત્રા, તુષારભાઇ લુણાગરીયા ઉ૫સ્થિત રહેશે. આ સ્નેહમિલનમાં ગત પરીક્ષામાં સારો દેખાવ કરનાર ધોરણ ૧૦ થી ૧ર ના વિઘાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. સાંજના સમયે સમસ્ત પરિવાર માટે સ્નેહ ભોજન, રાસ ગરબા, અને હાસ્ય કલાકાર સંજયભાઇ સોજીત્રાનો હાસ્ય દરબાર તેમજ પરિવારની દીકરીઓના પ્રેરક પ્રવચન રાખવામાં આવેલ છે.

Patto Ban Labs

સમસ્ત સોજીત્રા પરિવારના હોદેદારોએ કુટુંબીજનોને આ સ્નેહમિલન સમયસર પધારવા અને રકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરો કર્યો છે. સ્નેહમીલન સમારંભની સફળતા માટે આયોજકો પ્રમુખ જીતુભાઇ સોજીત્રા, ઉપપ્રમુખ મનીષભાઇ, મંત્રી ભુપતભાઇ, સાગરભાઇ, મુકેશભાઇ, નયનભાઇ તથા પ્રવીણભાઇ એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.