Abtak Media Google News

અમરેલીમાં ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે જેમાં સગા કાકાજી સસરાએ વહુને ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. વહુની હત્યા કર્યા બાદ આરોપીએ પોતાને પણ છરીના ઘા ઝીંકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અમરેલી જિલ્લામાં આવેલ રાંઠીયા ગામની છે જ્યાં પ્લોટ વિસ્તારમાં આજ રોજ ખૂની ખેલ ખેલાયો હતો. 21 વર્ષીય પરિણીતાને સગા કાકાજી સસરા સુભાનભાઈ અલીભાઈ પઠાણ (ઉ.વ 40) ગળાના ભાગે છરીના ઘા ઝીંકતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. હત્યા કર્યા બાદ આરોપીએ પોતાની જાતે ગળાના ભાગે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૃત્યુ પામનારા મહિલાના થોડા સમય પહેલાં લગ્ન થયા હતા. પરિણીતા અને કાકાજી સસરાનો પરિવાર બંને રાંઠીયા ગામે પ્લોટ વિસ્તારમાં એક સાથે આજુ બાજુમાં સાથે રહેતા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે આ મામલે આરોપીના ભાઈ ભીખુભાઈ પઠાણે આરોપી સુભાન માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું. મહિલાને છરી મારવામાં આવતા ધટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપીએ આત્મહત્યાની કોશિશ કરતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. રાંઠીયા ગામે ખૂની ખેલ ખેલાયા બાદ ગામ લોકો અને પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.