Abtak Media Google News

અમરેલી શહેરના જાણીતા શ્રી નાગનાથ મહાદેવના મનીર પાસે આવેલા નાગનાથ મહાદેવ બસ સ્ટોપ જે લાખો ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. તેની હાલત આજે સ્વચ્છતા ના અભાવે દયનીય બની છે.

એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન નીચે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે મોટા મોટા અભિયાનો ચલાવે છે જ્યારે બીજી તરફ અમરેલીના બસ સ્ટોપ પર જ સ્વચ્છતા નો અભાવ છે.

બસ સ્ટેન્ડની અંદર ખૂબ ગંદકી હોવાને કારણે મુસાફરો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. આવી જાહેર જગ્યાઓ ઉપર ધ્યાન આપી યોગ્ય પગલાં લેવા લોકો માં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.